________________
કંચન ને કામિની
નિરાશા લઈને એ સાંજ ઊગી. સાપના ભારા જેવી દીકરી ઓને એકે બાપ આજે ખુશ ન થયો. ભોગી શેઠની સવારી મુંબઈ ભેગી થઈ. છએક દિવસે પાછી આવી. પણ શેઠના ચહેરા પર નૂર ઘણું ઓછું હતું. આવતાંની સાથે જ એમણે શણગાર શેઠાણને બોલાવીને કહ્યું: “કેશવાની વાતને અબઘડી નિકાલ કરી નાખવો જોઈએ.”
મેં કયે દહાડે ના પાડી ?” તે એવિડને કહે કે વખતચંદ શેઠને બોલાવી લાવે.”
“શું શશિકલાને પસંદ કરવી છે ? જરા શામળી નહીં પડે ? છોકરાના મનને ગમશે ? કેશવાને બતાવી શું?”
“ઊજળી તેય રાત! ગમે તેવી હોશિયાર તેય સ્ત્રી ખરીને ! સ્ત્રીની બુદ્ધિ પાનીએ. મેં તને નહોતું કહ્યું કે મારે તે સેનાની મરઘી જેવી વહુ જોઈએ.'
સેનાની મરઘીને અર્થ હું જ સમજી નથી રૂપાળી વહુ કે પૈસાદાર વહુ ? '
એનો અર્થ તને વખતે સમજાશે. પણ શશિકલા લાવીએ તે તને વાંધો નથી ને ?”
મને શું વાંધો હોય ? પણ જરા શામળી તે ખરીને !”
એ તે તું જરા ઊજળે વાન છે, એટલે તારી પાસે કંઈક શ્યામ લાગે. બાકી તો શહેરનાં પાણી પીશે, જરા ઘસીને નાહશે, દેશે, એટલે રંગ ઉપડશે. વારુ, ઓઘડ ક્યાં છે?”
હા કહેતાં હાજર થનાર ઓઘડ હજુરમાં જ હતું. હમણું દેવની સેવાપૂજાને બદલે એણે બેન-બનેવીની ઉપાસના આદરી હતી. એનેય પિતાનું ઘર માંડવાના ઓરતા હતા. એ જઈને તરત વખતચંદ શેઠને તેડી લાવ્યા.