________________
કંચન ને કામિની
‘ જુએ તે, હું તેા સામાન્ય ધરની કન્યાને પસંદ કરનારી છું. મન દઈને કામ તેા કરે. વળી ગરીબ સગાં સુખેદુઃખે ઊભાં રહેનારાં ! આપણું પોટલું એ લઈ લે, એમનું પેટલું આપણે લઈ લઈ એ. હું પણ કયાં તાલેવંતના ધરની છું કે તાલેવત વેવાઈ શેાધું !'
૪૨
સામાન્ય સ્થિતિવાળી કન્યાનાં માબાપને લાગતું કે નક્કી આપણું કામ થઈ જશે. પણ કાઈ તાલેવતને ત્યાં જતાં તે વળી શેઠાણી નવું સંભાષણ કરતાં. તેઓ કહેતાં:
‘ભૂખડી ખારશ જેવાં સગાં શા કામનાં? દીકરી લીધી એટલે જાણે એમને ગુનેા કર્યાં! છાશવારે તે છાશવારે મદદ માગવા આવી ઊભાં રહે ! અને એક વાર ના પાડે એટલે થઈ રહ્યું. ગામ આખામાં વગેાવી નાખે. વળી ખાઈ, સરખે સરખાં હાઈ એ તેા જશાભીએ ! વભા પણ કાઇ વસ્તુ છે તે !'
ને વળી આછું ભણેલાંને ત્યાં જાય તે કહે : ‘ ભણેલી લઈ ને કયાં પેઢીએ નામુંડામું લખવા બેસાડવી છે ! ભણેલી છેાડીઓનાં ચરિતર હું જાણું છું. આખા દહાડા કાગળ લખવામાંથી ને ચાપડી વાંચવામાંથી નવરાશ મળે તે ધરકામમાં ચિત્ત ધાલે ને!'
તે વળી કાઈ શિક્ષિતને ત્યાં જાય તે નવા રાગ આલાપે અને કહે : ‘ ભાઈ, આ જમાનામાં ભણતર વગર ક ંઈ ચાલવાનું છે? વહુ સંસ્કારી ને સુશિક્ષિત હાય તા આખા ઘરને અજવાળે. એ ઘડી નવરાશ મળે તે સારાં પુસ્તક વાંચીને સંભળાવે તેા ખરી! આજે સંસ્કારલક્ષ્મીઓની સાચી જરૂર છે.’
આ રીતનેા સમન્વય કરી શકવાથી શણગાર શેઠાણી એક સુંદર હવા જમાવી શકયાં. તે રાજ રાજ કહેણુ વધતાં ચાલ્યાં. અને જેમ કહેણુ વધતાં ચાલ્યાં તેમ હરીફાઇ એ, લાગવગા, ધમાલે વધતી ચાલી. જે આવે એ પેાતાને પક્ષ મજબૂત કરતા જાય, તે સામા પક્ષની વાત ધરમૂળથી કાપતા જાય. શેઠાણી પણ લેાલમાં લાલ પુરાવતાં જાય. પણ ધીરે ધીરે એમનું મન પણ એવું અનિશ્ચિત