________________
૩૮
કંચન ને કામિની ભારાનો! પ્રભુદાસ શેઠ કહેતા કે ભગવાને જે આવાને ત્યાં દીકરીઓ આપી ન હતી, તે બીજા રાજા રાવણુ થઈને રાજ કરતા હતા. પૂળ્યાને જવાબ તે કેવો, પણ સામા મળ્યા તે ઊંચે એ પણ કેણ? એ તે આવાને ગર્વ ભાંગવા જ ભગવાન પિતે દીકરીઓને એમને ત્યાં જન્મ આપે છે ! એમાં ય જરા કાળી કે ખેડખાંપણવાળી હોય તો કોઈ ગરીબનાં ભાગ્ય જાગ્યાં સમજવાં.
ગાડી ફક્ત બે કલાક મોડી હતી, એટલે બધાને વાતચીત માટે સારે સમય મળી ગયે. ને વાતચીતમાં ને વાતચીતમાં વખત ક્યાંય વીતી ગયો ને ગાડી આવી પહોંચી. સહુએ ડમ્બે ડમ્બે શખળ કરી મૂકી ને શણગાર શેઠાણીને શોધી કાઢ્યાં. ડબ્બામાં ખુલ્લે મસ્તકે બેઠેલાં મદભર્યા શેઠાણીએ જરા લાજ ખેંચી, ને હળવે સાદે મજૂર બોલાવ્યો.
મજૂર-બજૂરની જરૂર નથી. અમે આટલા બધા છીએ ને ! ત્યે ભાઈ હાથે હાથ ! એમાં કંઈ ઘસાઈ નહિ જઈએ !” રતિલાલ શેઠે લાગ જોઈને સગડી ફેંકી. એ ન ચા લાવ્યા હતા, ન મોટર ! ખાલી હાથે હતા; એટલે આ રીતે જાતમહેનત ઝિંદાબાદ કરી આગળ નામ નંધાવ્યું.
શણગાર શેઠાણું આછા આછા મલીરના ઘૂંધટપટમાંથી કેશવાને સંબોધીને બોલ્યાં : “કેશવ! રતિલાલ ભઈજીને કહે કે તમે તકલીફ ન લેશે, મજૂર ક્યાં નથી ?'
અરે, મજૂર તે બોલાવવા જેવા નથી. એ ક્યાં ઓછા લાકડે બળે એવા છે ! મૂળાના પતીકા જેવા રૂપિયા ત્રણ માગશે.”
ચપચપ સામાન બહાર લેવાઈ ગયો. પણ પેલા મોટરવાળા વખતચંદ શેઠ પૂછવા લાગ્યા કે ભોગીલાલ શેઠ ક્યાં છે ?
કેશવ, વખતચંદ ભઈજીને કહે કે પેઢીનો પથારો ભારે, અને માથે જવાબદારી ઘણું, એટલે એકદમ કેમ નીકળાય ?” શેઠાણીએ કહ્યું.