________________
:૩૦
કંચન ને કામિની શેઠ બહાર જઈ આવ્યા. ને બીજા બે કરંડિયા ભરી લાવ્યા. એક તાર પિતાના સાળાને કર્યો. એક કાગળ ગામના પંચાતિયા પરભુ શેઠને લખે; એમાં જણાવ્યું કે “હવે કેશવલાલનું કરી લેવું છે. માદકરે ત્યાં આવે છે. સારાં ઠેકાણું ચીંધશે. હવે તે બંધ વાળ , છે. જમાને કેવો છે, જાણો છો ને ? દીકરા-દીકરીને બહુ મોટાં થવા દેવામાં સો ટકાનું જોખમ છે. ર્યું એ કામ, ભજ્યા એ રામ. પરભુ શેઠ, કહ્યું છે ને કે જાણે ભાઈ કલકી !'
બધું બરાબર કરીને શેઠે કાઠિયાવાડ મેઈલમાં સહુને વિદાય કર્યા. તારની ને કાગળની માહિતી આપી કેશવાને બાળકબુદ્ધિ છોડી જરા ભારમાં રહેવા સૂચન કર્યું !
ભોગીલાલ શેઠના ઘર-પરિવારનો બોજો વહી જવા જ્યારે કાઠિયાવાડ મેલે પાવો વગાડી હાંકી મૂક્યું, ત્યારે હજાર જણની વચ્ચે શેઢ-શેઠાણીએ ફરી એકવાર નેત્રપલવી નચાવી લીધી.
શુક ભાદરને પુલ વટાવીને, ભગી શેઠના કુટુંબ પરિવારને વહેતી ગાડી જ્યારે આગળ વધી, ત્યારે ધીરે ધીરે ડબ્બામાં એ પ્રદેશનાં પરિચિત સ્ત્રી-પુરુષો ચઢતાં ઊતરતાં હતાં. સારી જગ્યા જોઈને અડ્ડો જમાવી બેઠેલાં શણગાર શેઠાણી ભારે રેબ દબથી વાતો કરી રહ્યાં હતાં. ઘડીમાં દેરાણીને બે વેણુ શિખામણનાં કહે, ઘડીમાં સ્ટેશને સ્ટેશને ચા-પાણી લાવતા કેશવાને ધમકાવે, ઘડીમાં બાબાને બે પીપરમેંટ આપે ને એની વાદે વાદે લેવા આવતા અરુણને સાલા-સૂવર કહો ધમધમાવી નાખે. ધાક ધમકી દબદબાવે ! એમને મીઠે, તીણો ને છટાદાર સ્વર આખા ડબ્બામાં પડઘા પાડે !
ભોગી શેડનું મુંબઈમાં રાજ્ય ચાલતું હોય કે ન હોય, એમના ઘરમાં કોનું ચલણ હતું એ પણ કોણ જાણે, પણ અહીં તો આખા ડબ્બામાં શણગાર શેઠાણીએ રાજ જમાવ્યું હતું ! ઉંમર તે પાંત્રીશેક