________________
૨૮
કંચન ને કામિની મૂકવા જેટલીય જગ્યા ભલભલા લખપતિને પણ મળતી નથી ! જુઓ, સવારે અમદાવાદ સ્ટેશને ચાપાણ કરી લેજો ને પછી વીરમગામ ગરમાગરમ રસોઈ જમી લેજે. ગાડી બે કલાક મોડી છે, એટલે બરાબર જમવાની વેળાએ જ પહોંચશે. આજે તે બળદગાડીને ભરોસો રાખી શકાય, પણ રેલગાડીને ન રખાય.”
અમારી ચિંતા ન કરશો, પણ તમે શરીર સાચવજે. મારે તે જીવ અહીં છે, ને ખેળિયું દેશમાં જાય છે. તમને ભાયડા માણસને દરેક વાતનો ઉધામે ભારે હોય. આમ મનમાં આવ્યું તો આમ ને આમ આવ્યું તે આમ! દેહ ભારે ! જુઓ, ત્રીજે દહાડે ગાડીએ ન બેઠા તે મારે ખાવુંપીવું હરામ...' શેઠાણીના મોટા ગોરા ગાલ પર અશ્રુ આવીને મોતી બની ગયું.
તમે બૈરાં માણસ ! વાતમાં જ ન સમજો !' ભેગીલાલ શેડનું શેઠાણુ સાથેના વાર્તાલાપ વખતનું આ વાક્ય તેમણે તેવીસમી વાર ફરી ઉચ્ચાર્યું, ને કહ્યું : “જુઓ, કે ઉંમરલાયક થયે છે. ત્રણચાર કન્યાનાં કહેણ છે. તમે જરા તપાસમાં રહેજે. હળવે હળવે વાતચીત ચલાવજે.”
“તે શું મારા કેશવાને ગળે ગામડિયું ભાથું વળગાડવાને તમારે વિચાર છે?”
ગાંડી તે ગાંડી જ રહી. હું તે કહું છું કે બૈરાંની બુદ્ધિ પાનીએ તે આનું નામ ! વહુ તે લાવવી છે, અને તે પણ શહેરની–ફાંકડી સેનાની મરઘી જેવી ! પણ એ કઈ બેટીને બાપ હાથ પડે ત્યારે ને! એ પહેલાં જે કઈ સામાન્ય ગરીબ ઘરવાળા આવે એમને પાછા ન જવા દેવા. ભાલ જોવામાં શું વાંધો ? માલ કે વહોર તે તે આપણું મરજી ઉપર છે ને ? વાતમાં વાત એટલી કે કોઈને ઘસીને ના ન પાડવી. વાત ધીરે ધીરે વળ પર ચઢવા દેવી. પછી તે આપણે