________________
સેનાની મરઘી
૨૭”
કહું છું, તેય માનતી નથી. અરે હલ માહિમ સ્ટેશને મળશે ને કેળાં વલસાડથી લઈ લેવાશે. બૈરાં કીધાં એટલે પત્યું. ચૌદમાં રતન વિના સીધાં ચાલે જ નહિ !' ભોગીલાલ શેઠની શાંતિથી સમજાવતી જીભ હવે રાજા પાર્ટમાં આવી.
પિતાનાં જેઠાણીની મદદે દેરાણી ઘૂમટો કાઢીને કંઈ કહેવા આવતાં હતાં, ત્યાં શેઠે પિતાને વાટે પાવર હાથમાં લઈ સર્વ સત્તાધીશના અન્વયે હુકમ છોડો: “બસ, હવે હું તમારું કે નાનાં વહુનું –કેઈનું સાંભળવાનો નથી. હું નાહીને ટિકિટ રિઝવડ કરાવવા જાઉં છું. સાંજે મેલમાં સહુને ઊપડવાનું છે, એમાં જોશી કે ટીપણાની જરૂર
નથી.”
ઝરમરના બેબમારાનું શું પરિણામ આવત તે કહેવું મુશ્કેલ હતું, પણ શેડના શબ્દ-બે શેઠાણીની સુંદર આંખે આંસુથી છલકાવી દીધી.
છતાં સહુને ઊપડ્યા સિવાય છૂટકે ન હતા, કારણ કે શેઠને આજે સવારે સ્વપ્ન લાધ્યું હતું.
[૨] | સ્વપ્નના પ્રથમ ફળ તરીકે રંભા શેઠાણી આખરે દેશ તરફ ઊપડ્યાં. સવારે સિંહની જેમ ગજરવ કરતા શેઠ સાંજે વહાલસોયા સ્વામીનાથ બની ગયા હતા. વારે વારે પત્ની સાથે તારામૈત્રક સાધતાં સાધતાં, તેમણે આજે ટિકિટ રિઝવડ કરાવવાને, એમાં માસ્તરને હેશિયારીથી ને ઉદારતાથી લાંચ આપ્યાન, કુલીને ખરા બપોરથી જગ્યા રાખી લેવા સમજાવ્યાનો જે ઈતિહાસ કહ્યો, તે ખરેખર રોમાંચક અને ગમે તેવાને શેઠની ઉદારતા ને કુનેહ માટે માન ઉપજાવે તે હતો.
તમે બૈરાં માણસ ! વાતમાં સમજે શું ? આજે તે બે પગ