________________
૧૪
કંચન ને કામિની
ત્યારે માનવતાભર્યો લાગે છે. પણ બિચારી મેના ! એના ભાગ્યની વિધાતા એની મા હતી. - એ વિધાત્રીએ એક દહાડે મનસુખલાલને હાથમાં લીધા.
મનસુખલાલ! સાત પેઢીનું ઘર શું કામ વાસી વાળો છે ? અતિથિ-અભ્યાગત આંગણેથી નિસાસો નાખીને પાછાં ફરે છે. આશાએ બાંધેલી પરબ સુકાઈ ગઈ, ને તરસ્યાં ચકલાં ટળવળતાં પાછાં ફરે છે!”
મનસુખલાલ સાસુને સાંભળી રહ્યો. એ અત્યારે ડાહ્યો હતો, નહિ તો હજારહજાર ગાળો સંભળાવત. એનું ડહાપણું કહી રહ્યું હતું, કે દુનિયામાં સાચાં અંધ તો દેખતાં જ છે! વ્યવહારમાં ઢીલું મૂકતાં શીખવું. માણસમાત્રની ભૂલ થાય ! ગઈ ગુજરી વિસારતાં શીખવુંએમાં જ આપણી શોભા !
મનસુખલાલને શાંતિથી સાંભળતા જોઈને મેનાની માને પિતાના ડહાપણુમાં વિશ્વાસ આવ્યો. અરે, આ જ આત્મવિશ્વાસે એક દિવસ -વાઘ જેવા ગણાતા મેનાના બાપને એણે જ બકરી બેં કરી દીધેલ. એ પરણું ત્યારે લેક કંઈ કંઈ કહેતું ! કહેતાં કે ગાયને કસાઈવાડે આપી. પણ એ તો મેનાની મા! પુરુષનું એક ચરિતર–સ્ત્રીનાં હજાર ચરિતર ! આશાને–પોતાની પહેલી શક્યની–અરે નહિ, નહિ, જીવનસખીની એકમાત્ર સ્મૃતિને–આંખ સામે કણ કણ થઈને કમોતે મરતી જોઈ પણ એક હરફ ઉચ્ચારવાની હિંમત બાપમાં ન આવી! એ કમજોર પુરુષ કામિનીનો દાસ હતો !
“મનસુખલાલ, સાત પેઢીનું ખાનદાન તમારું ઘર ! એને તાળાં દેવાય એ કેમ સહન થાય ? શાસ્ત્રીજી કહે છે, કે ૫ નામના નરકમાંથી તરવા માટે પુત્ર જોઈએ જ. જે થયું એને ભૂલી જાઓ. મારી ભૂલ ગણતા હે તે, લે આ મારું માથું ને તમારું ખાસડું! બાકી હું સાચાબોલી છું, એટલે લેકેને કડવી વખ લાગું છું ! જે તમારા