SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ કંચન ને કામિની ત્યારે માનવતાભર્યો લાગે છે. પણ બિચારી મેના ! એના ભાગ્યની વિધાતા એની મા હતી. - એ વિધાત્રીએ એક દહાડે મનસુખલાલને હાથમાં લીધા. મનસુખલાલ! સાત પેઢીનું ઘર શું કામ વાસી વાળો છે ? અતિથિ-અભ્યાગત આંગણેથી નિસાસો નાખીને પાછાં ફરે છે. આશાએ બાંધેલી પરબ સુકાઈ ગઈ, ને તરસ્યાં ચકલાં ટળવળતાં પાછાં ફરે છે!” મનસુખલાલ સાસુને સાંભળી રહ્યો. એ અત્યારે ડાહ્યો હતો, નહિ તો હજારહજાર ગાળો સંભળાવત. એનું ડહાપણું કહી રહ્યું હતું, કે દુનિયામાં સાચાં અંધ તો દેખતાં જ છે! વ્યવહારમાં ઢીલું મૂકતાં શીખવું. માણસમાત્રની ભૂલ થાય ! ગઈ ગુજરી વિસારતાં શીખવુંએમાં જ આપણી શોભા ! મનસુખલાલને શાંતિથી સાંભળતા જોઈને મેનાની માને પિતાના ડહાપણુમાં વિશ્વાસ આવ્યો. અરે, આ જ આત્મવિશ્વાસે એક દિવસ -વાઘ જેવા ગણાતા મેનાના બાપને એણે જ બકરી બેં કરી દીધેલ. એ પરણું ત્યારે લેક કંઈ કંઈ કહેતું ! કહેતાં કે ગાયને કસાઈવાડે આપી. પણ એ તો મેનાની મા! પુરુષનું એક ચરિતર–સ્ત્રીનાં હજાર ચરિતર ! આશાને–પોતાની પહેલી શક્યની–અરે નહિ, નહિ, જીવનસખીની એકમાત્ર સ્મૃતિને–આંખ સામે કણ કણ થઈને કમોતે મરતી જોઈ પણ એક હરફ ઉચ્ચારવાની હિંમત બાપમાં ન આવી! એ કમજોર પુરુષ કામિનીનો દાસ હતો ! “મનસુખલાલ, સાત પેઢીનું ખાનદાન તમારું ઘર ! એને તાળાં દેવાય એ કેમ સહન થાય ? શાસ્ત્રીજી કહે છે, કે ૫ નામના નરકમાંથી તરવા માટે પુત્ર જોઈએ જ. જે થયું એને ભૂલી જાઓ. મારી ભૂલ ગણતા હે તે, લે આ મારું માથું ને તમારું ખાસડું! બાકી હું સાચાબોલી છું, એટલે લેકેને કડવી વખ લાગું છું ! જે તમારા
SR No.005970
Book TitleKanchan ane Kamini
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherGurjar Granth Ratna Karyalay
Publication Year1957
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy