________________
૧૦
કંચન ને કામિની
આટલું બેલી એ ફરી બેભાન બની ગયો. આ ક્રમ ચાલુ જ રહ્યો. બીજી તરફ સગાંવહાલાં મરનાર પાછળની વિધિ અચૂક રીતે ઊજવી રહ્યાં હતાં. ભલા, આશાને ભેળો આત્મા ત્યાં હોત તો જરૂર કહેતઃ “હશે, હશે! જીવનાર પ્રત્યે નહિ તે મરનાર પ્રત્યે પણ આટલું વહાલ સંસારમાં ઘણું છે !''
ફરીફરીને મૂછ પામતા મનસુખ માટે કુટુંબના ઘરડેરા વિચાર કરવા બેઠા. એમણે નક્કી કર્યું કે સારી સારી બેચાર કન્યાઓ બતાવીને મનસુખનું જલદી સગપણ કરી દેવું. એનું મન કેઈ સ્ત્રીમાં ઠરશે એટલે સ્વસ્થ થઈ જશે. પુરુષને વળી સ્ત્રીને શેક કેટલા દી ! સ્ત્રી ન મળી તેટલા દી! અલબત્ત મનસુખમાં જરા લાગણીવેડા વધુ છે!
આ વાતની ચર્ચા ચાલી એટલે કહેણ ઉપર કહેણ આવવા માંડ્યાં. ભલા, મનસુખ જેવો વર અને એના જેવું ઘર ક્યાં મળે ! ઘેર ડાયરે જામવા માંડ્યો. પણ આશાની સાવકી માએ ઘૂમટ કાઢી, ઓશરીમાં થાંભલાની આડશે ઊભા રહી, સહુને ડાયરામાં કહી દીધું ઃ
જુઓ! હું આશાની સાવકી મા હતી, પણ અમારાં હેતપ્રીત સગી મા-દીકરી જેવાં હતાં. એ ગઈ ત્યારથી મને ખાવુંય ભાવતું નથી. આંખમાં ઊંધ નથી. જીવને ચેન નથી. ભલા ભગવાને એના કરતાં મને...” ને આટલી વાત કહી એણે બેચાર ડૂસકાં ખાધાં. કુશળ ભાષણ કરનારની જેમ આ સંસારની ભામિનીઓ જ્યારે જરૂર પડે. ત્યારે આંખમાં આંસુ આણી શકતી. તેણે આગળ ચલાવ્યું:
જુઓ, મારી આશા ભરવાની છેલ્લી ઘડીએ હતી, ત્યારે એણે કહેલું : “બા, એ છોકરા જેવા છે! મારી તો ચિંતા નથી, પણ એમની ચિંતામાં મને મરવું ગમતું નથી, પણ જિવાડવું કે મારવું એ તો ભગવાનના હાથની વાત છે. મને કંઈ થાય તો મારી જગ્યાએ મારી બેન મેનાને દેજે!' મનસુખનાં સાસુજી વ્યાં. ને થોડી વારે પિતાની વાતનો ઉપસંહાર કરતાં બેલ્યાં: “જુઓ, તમને ડાહ્યાઓને