________________
કંચન ને કામિની
મનસુખલાલ ! બાળકબુદ્ધિ ન કરો! તમારી અને એની લેણાદેણી પૂરી થઈ. અરેરે, બિચારી ભર્યા ઘરનું પૂરું સુખ પણ ન ભેગવી શકી.
“શું એ મરી ગઈ?” ને મનસુખ સૂધબૂધ ગુમાવી બેઠે. આશા ! આશા !' બેલતે નીચે ઢળી પડ્યો.
એ પછી જીવનાર માટે સદા બેદરકારી બતાવનાર સંસાર, મરનાર માટે જે ખબરદારી રાખે છે, એ શરૂ થઈ. સારું એટણ, સારું પિઢણું, સારી ચિંતા, ઝાઝેરાં સગાંસંબંધી ! મોટી કાણકાણ! જોરથી રેવુંફૂટવું ! મરનારીને જુદે જુદે વહાલસોયે નામે યાદ કરવી, લાગણીના ધોધ ને માયાનાં આકંદ! ' પણ મનસુખ જ્યારે મૂછમાંથી જાગે ત્યારે, એ એક ચેખા ઓરડામાં પથારી પર પડ્યો હતો. એના દાઝેલા પગ પર પાટો વિટાળેલ હતો, ને માથે લાલ ગુલાબી ફેટ હતે. કપાળમાં કુકમને ચાંલ્લે હતા, ને સામે જ ગેળની થાળી પડી હતી.
- એક વાર મનસુખે સ્મૃતિનો દીપ પટાવવા પ્રયત્ન કર્યો. કપાળમાં મેટ ચાંલ્લે ચડી ફરતી આશા, હીંચોળાતું મેનાપોપટ કરેલું ઘોડિયું ને સનારૂપાની પાંચિયું ! એના નિર્બળ ચિત્તે સાચી પરિસ્થિતિનો તાગ કાઢવા પ્રયાસ કર્યો, પણ એ પ્રયાસ એ દુઃખદ નીવડ્યો કે ફરી એ બેભાન બની ગયે.
મોડી રાતે એ જાગ્યો. ફરી થોડી વાર વિચાર કરતો રહ્યો, ને ફરી બેભાન બની ગયો. વળી પ્રભાતની તાજગીમાં એ ફરી જાગ્યો. એ વેળા અનેક સગાંવહાલાં ત્યાં વીંટળાઈ વળ્યાં હતાં. સહુ આશ્વાસન આપવા લાગ્યાં ત્યારે એ એટલું બોલ્યો :
અરેરે! ભળી આશા માનતી હતી, કે કસાઈ પણ દૂધ દેતી ગાયને ભારતે નથી. તમે તે એથીય ભંડાં નીકળ્યાં–દૂધ દેતી ગાયનેય હણી નાખી !'