________________
કંચન ને કામિની નાવણ માટેની તાંબાઝૂંડીઓ, પિઢણ માટે નાશ પલંગ, એવું એવું કંઈ કંઈ બનાવેલું બધું બાળકની રમત જેવું લાગે.
પણ નજર ફરતી ફરતી જ્યારે દીવાલ પરના ચિત્ર પર ઠરતી ત્યારે મનમાં કુતૂહલ જાગતું. ચાકથી પિતેલા ભાગ પર કાળી મસીથી સ્ત્રીના મુખનો અડધો ભાગ ચીતરેલું હતું. મુખમુદ્રા કઈ નવયૌવનાની લાગતી, અને એના ગલ પડેલા ગાલ પર એક છુંદણું બતાવ્યું હતું. ઉપર રમઝના રંગથી બે હઠ ચીતર્યા હતા.
જેનારની જિજ્ઞાસા જાગી ઊઠતી. એ પ્રશ્ન કરી બેસતો. જાણકાર જવાબ આપ, કહેતોઃ “મેના નામની ગાંડી સુતારણે પિતાના પાગલ પતિના સ્મરણમાં આ મઢી બનાવી છે.'
અરે, ગાંડું તે વળી ગાંડાનું સ્મારક બનાવે ? ખરું ભાઈ વાત કંઈક વિચિત્ર જ હશે ! ને મારો અનુભવ છે, કે સંસારની વિચિત્ર વાતમાં જ કંઈક સત્યને અંશ રહેલો હોય છે.' તે સાંભળો વાત !”
[૨] જાંબૂના વનની પાછળ વસેલા જાંબુડિયા નામના ગામમાં છેડા વખત પહેલાં એક નામી કારીગર રહેતા હતા. મનસુખ એનું નામ. લક્કડકામને નકશીકામને–ભારે નિષ્ણાત. પેટની રોજી માટે જાવા, સુમાત્રા, ને પછી ઠેઠ આફ્રિકા સુધી રખડી આવેલે. એની બનાવેલી કાષ્ઠપૂતળીઓએ અનેક મહેલ ને મંદિર શોભાવ્યાં હતાં. એના બનાવેલા નકશીભર્યાં છત્રપલંગ ગૃહસ્થના ઘરમાં પ્રદર્શનની વસ્તુ બની ગયા હતા. જોકે એ એ છત્રપલંગેનું સ્થાન શયનગૃહોને બદલે દીવાનખાનામાં નક્કી કર્યું હતું. રાજાઓનાં રંગભવન અને સિંહાસનો મનસુખની કારીગરી વગર ફિક્કા લાગતાં.
જાતને એ સુતાર હતો. નાની ઉંમરે માબાપ મરી ગયેલાં. મેટી ઉંમરે રળતે, કમાતો ગયો, બે પૈસાને પાસે જીવ થયે એટલે