________________
૨૪૦
કચન ને કામિની
ભાવના નથી. આ બોખલા સમાજમાંથી દર પળે અનેક સ્ત્રીઓ અન્ય ધર્મમાં ચાલી જઈ વટલાઈ જાય છે. ત્યાં એમને ઓટલો ને રોટલો બંને મળે છે ત્યાં એકાદી માનવસહજ ભૂલ માટે પિતાને હાથે ગળું કાપવાની જરૂર પડતી નથી. ત્યાં ગર્ભહત્યા નથી. ફરજિયાત વૈધવ્યની ત્યાં આવશ્યકતા નથી. ત્યાં વિધવા ડાકણ નથી, અપશુકનિયાળ નથી. જે કોઢમાં ઘાસચારે નથી, જીવનની સાદી સગવડ પણ નથી ? એમાં પશુ પણ રહેવા ન જાય ! એને મારીને, બાંધીને, કેદ કરીને રાખી શકે, મનથી–મહેબતથી એ ન રહે. તે તમે માણસને એ કાઢથીય ખરાબ જગ્યામાં કેમ કરીને રાખી શકશે? મારા જેવી અનેક સ્ત્રીઓની આજે આ દશા છે.
મારા તરણતારણહારના રૂપમાં આવેલા આ માસ્તર, રાતે શા માટે મારા કમરામાં આવ્યા ? શા માટે મને સ્પર્યા ? કંઈ જવાબ એમની પાસે ? એ કહેશે કે હું મારી પત્ની પાસે જતો હત! એ જવાબ પળવાર સાચો માની લઉં છું. પણ આપ એમને પૂછશો કે તમે એક રાત તમારી પત્ની વિના ચલાવી ન શકે તે, એક ઓરત આખી જિંદગી પિતાના પતિ વિના કેમ ચલાવી શકતી હશે એને ખ્યાલ કર્યો ? આથી આગળ વધીને કહું છું કે માસ્તર પિતાને ભૂતકાળ યાદ કરે ! મારી આજની હાલત એમને આભારી છે!'
ઓ ગુનેગાર ઓરત ! એક પ્રતિષ્ઠિત ગૃહસ્થ માથે આવું દષારે પણ?” સરકારી વકીલે કહ્યું.
સાહેબ, આ સમાજની પ્રતિષ્ઠાને અનેક થીંગડા લાગ્યાં છે. થીગડાં જ થીગડાં છે. મૂળ પિત ને મૂળ રંગ અદશ્ય થયા છે. જે પ્રતિષ્ઠામાં વધુ બણગાં ફૂંકે એ વધુ પાપી. સ્ત્રીઓની બલિવેદી પર આ સમાજ ખડો છે. એને છુંદીને એમણે પવિત્રતાને પ્રતિષ્ઠા હાંસલ કરી છે. મારી કથા જરા વિગતથી કહું...”
કાન્તાએ પિતાની કથની કહેવા માંડી આખી સભા સ્તબ્ધ