________________
પાપને પિકાર
૨૩૧
સ્ત્રીને મને સંતાન સ્વર્ગીય ભેટ છે. પુરુષને મન વિષયસેવનને એ એક અકસ્માત છે, અથવા આડકતરી રીતે મળનાર એક વિશેષ લાભ છે.
બાપ મર્યો મા સંતાનને જીવની જેમ જાળવી રહે છે, ને મા મેર્યું કે બાપ જાણે અજાણે પણ સંતાનને બેવફા નથી બન્યો?
કાન્તા, તું સમજતી નથી. દુનિયાના વ્યવહારમાં રહેવું હેય તે એવા મોહ ન ચાલે. આ સમાજ આવો હોય તે ત્યાં આપણે કોણ? જાણે છે? રોજરોજ વધતાં જતાં આ દવાખાનાઓની ધીકતી કમાણી કેના ઉપર છે! છાપાંઓની જા. ખ. માં જે કઈ જાહેરખબરોનું છે ? વૈદે કઈ ઔષધિઓ મેંઘામૂલે તૈયાર કરે છે? સંતતિનિયમનનાં સાધનને પ્રચાર કોણે વધાર્યો?”
દેખાતી દુનિયા ને ન દેખાતી દુનિયા વચ્ચેના ભેદ મેં વક્તાની છટાથી સમજાવ્યા. બહારથી ભજવાના રામ ને ભીતરના રામને ભેદ બતાવ્યું. ' મેં કહ્યું “કાલે જ પેલી વિધવા મંગળાનો સસરે સંતતિનિયમનની દવાનું ઠેકાણું અંગ્રેજીમાં લખાવવા આવ્યો હતે. પત્ની વગરના એ શેઠને કયા પરોપકાર માટે એવી દવા જોઈતી હશે ?'
ને તને ખબર છે? કાલે જ પેલા સુધરાઈવાળા સાહેબ કહેતા હતા કે આ જ મહિનામાં તરતનાં જન્મેલા પાંચ બાળક ઉકરડા ઉપરથી મળ્યાં હતાં, માટે ડાહી થઈ માની જા, ને આપણું સુખી જીવનમાં કડવાશ ન ઉમેર.” - કાન્તા ક્રૂજી રહી હતી. એને તમ્મર આવતાં હતાં. એ બેસી ગઈ “ના, ના, એ મારાથી નહિ બને. ચાલો આપણે બીજે ચાલ્યાં જઈએ. ન જાણે ક્યા પાપે હું બાળવિધવા બની ! હવે આ ભ્રણહત્યાનું પાપ કરીને ન જાણે ક્યારે છૂટીશ ? તમે કહેતા હતા કે કાન્તા! તારા માટે તું જે કહીશ તે હું કરીશ. તમે મારા સાચા