________________
૨૧૬
કંચન ને કામિની પાંચ પતિ ને એ પાછી સતી ! એટલે આજે જેમ પુરુષ ગમે ત્યારે પરણે, ગમે તે વયે પરણે, ગમે તે ઉંમરની સ્ત્રીને પત્ની બનાવે, ઉપરાંત અનેક ઉપપત્નીઓ પણ રાખેઃ એ જેમ સ્વાભાવિક છે, તેમ એ વેળા સ્ત્રીઓને સ્વતંત્રતાને લીધે બધું સ્વાભાવિક હતું ને આજની આઝાદ સ્ત્રીને પણ એ સહજ છે.”
નવલને ખાતરી થઈ ગઈ કે પુરુષ–સ્ત્રીના સંબંધ વિષે સમાજે ભારે ગોટાળો કર્યો છે. સુશીલા સાચી છે. સ્ત્રી-પુરુષના સ્પર્શમાં કંઈ પાપ નથી, પાપ તે ભાવનામાં છે.
- “ધર્મ એ તે અફીણ છે. પુરોહિતોએ ઊભો કરેલો છે. માણસને ખોટા ઘેનમાં રાખી સાચા સુખથી દૂર રાખે છે.' સુશીલાએ વાતને મક્કમ કરી. પ્રેફેસરના ખભાને પિતાનો ખભો અડાડતી એ ચાલી. એકબીજાનાં રસીલાં અંગે પર એકબીજા તીરછી નજર નાખતાં હતાં. એ પાપ નહોતું-રસવૃત્તિ કહેવાતી હતી !
સુશીલા કહેતી હતી : “ફણ સાહેબ! સ્ત્રી પુરુષની સંજીવની! પુરુષની અમરવેલ સ્ત્રી છે. ભગવાને આવું કીમતી જીવન દુઃખ માટે, કરવા માટે, હાયવરાળ માટે, આભડછેટ માટે સજર્યું હશે ? આ બધું તે નિષ્ફર ને બૂઢા સમાજે રચ્યું છે ! કેવા મૂખ લેકે ! ભૂખ લાગી ત્યારે રસોડું શેધવા નીકળે. એમાંય કેટલું ચોખલિયાપણું! જમવું છે પણ અમુક રસોડું જ જોઈએ. રસોડા માત્રથી પતે નહિ, એનો માલિક કેણ, એને નેકર કોણ; એ પણ જુએ. પછી અમુક ચોકે પસંદ કરે. અમુક ખાણું પસંદ કરે. અમુક સ્થળે બેસીને જ ખવાય. બસ, એ દહાડે જે ખાધું –એ જ હંમેશ ખાવાનું ! એ જ હોટલ જોઈએ, એનો એ જ માલિક જોઈએ, એના એ જ સ્થળ, સીમા ને બંધન જોઈએ. શું વિચિત્ર પ્રાણી છીએ આપણે! જે આપણા લોકો એક આ વાતમાં સુધરી જાય, તે સમાજમાં અશાન્તિ-નિત્ય દિનની