________________
૨૦૮
કંચન ને કામિની ભાયાત કિસનસિંહને પુત્રરત્ન ઘણા હતા, પણ કન્યારત્ન એક હતું. એનું નામ માણેક. વય ચૌદની હતી. નામ એવું રૂપ હતું. એની પણ હતી ભરજોબન અવસ્થા. સારા ઘરના અભાવે, સારા ઘરની કન્યા હજી અવિવાહિત હતી.
ગામડાનું આ માણેક, નગરસુંદરીઓની દષ્ટિએ બહુ અપ ટુ ડેટ નહોતું, છતાંય એને કઈ રૂપાહીન કહી શકે તેમ પણ નહતું. એ પણ જે અર્ધનગ્ન પોશાક પહેરે, કામદેવના મર્મસમા અવયવોને અર્ધખુલ્લા મૂકે, નયનમાં ચંચળતા ને ચાલમાં ઠસ્સે પૂરે, તે હરીફાઈ કાતીલ બને. તે હરીફાઈમાં કોણ હારે–આ કહેવું મુશ્કેલ હતું. પણ માણેકના સ્વભાવમાં એ રહેતું. સંસ્કારમાં તે ક્યાંથી હોય?
માણેકનું રૂપ જોવા માટે તે અંતરની આંખ જોઈએ. આ આંખ તે ઘણી વાર કાંટાળું રૂપ જુએ છે. એને માટે જુદી આંખ જોઈએ. માણેકનાં આછા શ્યામ અવયવો ઘાટીલા ને માસલ હતા. ખેતીમાં, ઘરકામકાજમાં એ જોઈએ તેટલા કસાયેલા હતા. મુખ પર એક આછી મિતની રેખા હંમેશાં રમતી રહેતી. માણેક ઘણીવાર નવલને જેવા પિતાની મા સાથે મેડી પરથી આવતી ને દૂરથી જોઈ ચાલી જતી.
[૨].
પ્રકૃતિએ જ પુરુષ ને સ્ત્રીમાં પરસ્પર આકર્ષણ મૂક્યાં છે. ગમે તેટલા પ્રતિબન્ધ પછી, કરી શકાય તેટલા જુલમો પછી પણ એ અભેદ્ય ને અપ્રતિહત રહે છે.
બે જુવાન હૈયાંનાં આકર્ષણ સ્વયંભૂ છે. અવસ્થાગત છે. કીધાથી થાય નહિ, જોડ્યાથી જોડાય નહિ, આપમેળે પ્રગટેને આપમેળે મરે. | નવલ ને માણેક તેઓ પોતે જાણે નહિ તે રીતે આ આકર્ષણમાં હતાં. કેરી કિતાબ પર નવા આંકડા પડતા હતા. તેને ભેટી હૃદયના પાઠ વાંચી લીધા હતા, છતાં હજી બધું અપ્રગટજ હતું.