________________
પ્રેમલક્ષણ
૧૯૯૯
[૨]
એવી જ એક રાત્રી. છેલ્લા આઠ દિવસોથી યુવતીનો શૃંગાર નિષ્ફળ જતા હતા. રાહ જોઈને થાકતી પણ મોટર ન દેખાતી, આખરે આઠ દહાડે ફરી પાછી મેટર દેખાણી. યુવતી કૂદીને સ્વાગત કરવા ધસી. એનાં ઝાંઝર અજબ રણકાર કરી રહ્યાં.
મોટરમાંથી કોઈ ઊતર્યું, પણ પેલે પુરુષ નહે. મોટરને શેફર કરસન હતો.
બાઈજી, શેઠ તે બે દહાડાની બિમારીમાં ગુજરી ગયા.'
કરસન, મારે માટે કંઈ કહેતાં ગયા?” આ શબ્દોમાં મરનાર માટે છૂપું દર્દ હતું, પણ જીવનાર માટે ચિંતા હતી.
“બધાને માટે કંઈને કંઈ કહ્યું, બાઈ! તમારા માટે લાગણી તે પૂરી, પણ જાહેરમાં બધાની વચ્ચે કેમ બેલાય ?' કરસને શેઠની વતી વકીલાત કરી.
એમ કે?' યુવતી એટલું બોલીને કંઈક વિચારમાં પડી ગઈ થોડીવારે એણે કહ્યું : “ભલા, મને શેઠાણી પાસે લઈ જઈશ?”
“મારું કામ નહિ. ટેકસી ભાડે લાવી આપું. આપ જાઓ. હે લઈ જાઉં તે મારે રેટ ટળી જાય. પણ એક વાત કહું! સેન્ડહસ્ટ રોડના એક શ્રીમંતપુત્ર તમારી ઉપર ભારે ચાહના રાખે છે. તેમણે મને કહી રાખ્યું છે.”
કરસન, એક વખતે એક પુરુષ, બીજાનું મેં પણ જોયું નથી. શેઠ, મારો કદરદાન ગ્રાહક હતા. મને એના માટે લાગણી છે. હવે જો પેટપૂર મળી જાય તે બીજા પુરુષનું મેં જેવું પણ નથી. શેઠાણીને મળી જેઉં !'
ડીવારમાં ટેકસી આવી. યુવતી એમાં બેઠી. અંધકાર ભરેલા માર્ગે