________________
જીવનનું દાન
[વાર્તા અગિયારમી ] સંસારનાં સર્વ પાપ જોવાઈને, સંસ્કૃતિની મહા નાક વાટે જ્યાં બધે કાદવ એકત્ર થાય છે, એવી એ ગલી હતી.
સડેલાં કૂતરાં, ચેતરફ પ્રસરી રહેલી બદબો અને દુર્મુખ માન- વીઓથી એ સંસાર વસેલે હતો. ગામના શાસ્ત્રીજી રાજ મઘમઘતા મંદિરમાં સેનેરી સિંહાસન પર ચઢી ભક્તોને, પાપ કરશો તે નરક મળશે, એમ સમજાવતા કદી કદી તે નરકનાં દુઃખોનો ચિતાર ખડે કરી દેતા, પણ શાસ્ત્રીજી કદી ભૂલેચૂકે જે અહીં આવી ચઢે તે એમને નરકનું સ્વરૂપ સમજાવવાને બદલે સદેહે એનું ભાન થાય તેમ હતું.
કારણ, આ ગલીમાં નરકનાં તમામ દુઃખોને સમાવેશ હતે.
કેટલીય મજૂરણે સવારથી સાંજ મજૂરી ખેંચતી, તેય તેમને વૈતનો ખાડો પૂરવા કોઈ મુકાદમ કે કઈ મકાનમાલિકની રખાત બનીને રહેવું પડતું.
કેટલાય કામદારને રજની કેડ તેડી નાખે તેવી નોકરી કરવા ઉપરાંત, અમલદારોના બંગલા સાફ કરવા ઠંડી રાતના ઉજાગરા વે પણ, રિટી ને મરચાંના સાંસા પડતા. પઠાણી વ્યાજના પહાડ એમના માથે સદાના રહેતા.
રોજ વહેલી સવારે દૂધના હાંડા માથે ચઢાવી, કઈ હેટેલવાળા