________________
અપહૃતા
૧૮૭ પછી, બેએક સ્થળે આશ્રય માટે ફરી, પણ બધે દયાવાન દલાલે જ મળ્યા. મારા જેવી માટે વેશ્યાઓ સિવાય કોઈના દરવાજા ઉધાડા નહતા.
“હું પાછી ફરી, મને ઉપાડી જનારને ત્યાં જઈને ઊભી. એ મને જાળવવા તૈયાર હતા. ત્યાં તો સરકાર બહાદુરે તરફથી અપહતાઓને પાછી મેંપવાને સવાલ આવ્યા. સવાલ કરનારે પિતાનું અભિમાન જોયું હતું, પણ જ્યાં એ સ્ત્રીને પાછી લઈ જઈને મૂકવાની હતી. એ હૈયાહીન સમાજને જરા ય વિચાર ન કર્યો.
હું પાછી સંપાઈ પણ મને અપહેતાને કોણ સંધરે તેમ હતું? અને સંરક્ષણ વગરની જુવાન સ્ત્રીને માથે શું ન વીતે? શું મારે વસ્યા બનવું? સુખને આ એક જ રાહ મારી સામે ખડે હતો પણ મને એ ન ગમ્યું. હું આ એક દયાવાન ગૃહસ્થ સાથે અહીં આવી રહી છું. મારે હવે ક્યાંય પાછા જવું નથી! સ્ત્રી માટે ક્યાંય સ્વર્ગ નથી. અહીં પણ નરક છે. ત્યાં પણ નરક છે, ફેર એટલે છે, કે અહીં નરકમાં પણ મારું સ્થાન છે, તમારે ત્યાં નરકમાં પણ મારા માટે જગ્યા નથી.”
કનુ પાસે ગયા. એણે રંજનના કપાળે હાથ મૂક્યો, પેલે પુરુષ સંકોચવશ આ ને આઘે રહેતો હતો. રંજન બબડતી હતીઃ
અરેરે! હરખઘેલા રાજદારી પુરૂષોની એક સામાન્ય ભૂલે સ્ત્રીઓને માથે કેટલું વીત્યું ! અને તમે તે તમારા વિજયનાં ગુણગાન ગાતાં હજીય થાકતા નથી. તમારી સંસ્કૃતિને જાણે દેવસંસ્કૃતિ તરીકે ઓળખાય છે. તમારી મિથ્યાભિમાનભરી બહાદુરીની બિરદાવલિઓ હજીય રચે જ જાઓ છે. અમે કર્યું ! અમે કર્યું ! તમે શું કર્યું? જુઠા માણસે ! જૂઠે એમને ઈતિહાસ! અરેરે ! કેણે સહન કર્યું ને કોણે સ્વર્ગ માણ્યું ?.”