________________
અપહતા
૧૮૫
“શેઠ, એ પછી બહેન ઊભાં થયાં, પેલા કેસુડાના ઝાડ પાસે જઈને ઊભા રહ્યાં, ફરી રેયાં, ફરી ફરીને રોયાં. કેટલીય જાની વાતે સંભારી સંભારીને રોયાં. મને લાગ્યું કે આ જાસુદીના છોડ, આ મેંદીની વાડ ને આ ગુલમહોર પણ રડી રહ્યાં છે. આખી રાત એ અને હું આ ખાખરાના છોડ નીચે મૂગાં મૂગાં બેઠાં. આંખમાંથી આંસુ તે જાણે ઝાકળની જેમ પડતાં હતાં.
પાછલી રાતે મને ઊંધ ઘેરી વળી. સવારે જાગે ત્યારે જોયું તો શેઠાણ નહતાં !”
માળીએ વાત પૂરી કરી. કનુની આંખમાંથી આંસુ કરી રહ્યાં.
એણે કેસૂડા પાસે જઈ ખૂબ રડી લીધું. જે કેસૂડાએ વર્ષો થયાં માળીના હાથની ખુરપી ને કોદાળી ખાઈ ફૂલ આપવાં જારી રાખ્યાં હતાં, એ કેસુડાનો સ્નેહી કનુ રંજનની રાહ જોવા અનંત કાલ સુધી તૈયાર થયે.
એ ન પરણ્ય.
સગાં તે હજીય શાણા થઈને ગઈ ગુજરી ભૂલી જવા સમજાવતાં હતાં.
[ 8 ]
વાર્તાને અંત હવે નજીક છે. સાચી કહાણી પણ વિવિધતાને વરે ત્યારે જ વાર્તા કહેવાય ને ? કનુ તે આ પછી બર્માના અનેક પ્રવાસ ખેડી આવ્યો. પ્રવાસ, પ્રવાસ ને પ્રવાસ ! કનુના સંતપ્ત દિલને બીજે આશાયેશ નહતી. - એકવાર રંગુનની એક હોટેલમાં એ એક રાત ગાળવા રહ્યો. એ રાતે એણે એક સ્ત્રી-પુરુષને પાસેના કમરામાં ઊતરેલાં ભાળ્યાં.