________________
આકર્ષણને ત્રણ વર્ષને કાળ ખતમ થતાં – ઉકરડે ગધેડાં લૂંકતાં દેખાય છે !
કંચનની મેહિની પણ એવી જામી છે. માણસની પ્રતિષ્ઠાને બદલે મૂડીની પ્રતિષ્ઠા થઈ રહી છે. હજાર, લાખ ને કરેડ પર એની મસ્તાની પારાશીશીને પારો ઊંચે ચઢે છે. ધર્મમંદિરનાં દ્વાર ધનવાન બોલે, ધર્મવંત હોય કે નહિ તેની ચિંતા નહિ! રાજકીય કે ધાર્મિક ઉપદેશોમાં કે સમારંભમાં શ્રીમંત વર્ગ આગળની સીટ રિઝર્વ રાખે ! માણસાઈની મદદ માટે એ મૂડીદારોનાં હદયને અપીલ થાય ! પહેલી ખુરશી શ્રીમંતાઈની પડે, સદાચારીનું કેઈ સ્થાન નહિ!
સેનાની નિંદા કરનારા સંન્યાસીઓ જ સેનાની મહત્તા સ્થાપી ભગવાનના મંદિર એમનાં નામે બનાવે, ભોગ-શણગારમાં એમના જયજયકાર થાય, મહાલ જેવાં ધર્માલય પર તખતીઓ પણ એમની ચઢે, ધર્મ પણ એમને પામીને વિખ્યાત બને!
રાજકારણમાં પણ માનને માપદંડ તેનાથી જ મપાય. ફંડફાળાની પ્રથાઓમાં સાહજિક રીતે સુવર્ણ સ્વામી અગ્રપદ પામે છે ! લેકશાહીમાં ચૂંટણીઓ મેટી વસ્તુ છે ને એ ચૂંટણીઓમાં ઘણેખર વિજય સુવર્ણ પર નિર્ભર રહેલો છે.
ન્યાયસંપનવિભવ–ન્યાયપાર્જિત વિત્તની ચિંતા કોઈને નથી ! પૈસે ને અન્ન પ્રામાણિક હેય તે પચે, એ માન્યતા જૂનવાણી કરી છે.
કંચનની આ પ્રતિષ્ઠાએ દુનિયાને બેટે રવાડે ચઢાવી દીધી ! માણસ આજે મનથી ઈચ્છે છે ભરપૂર સેનું ને રમકડા જેવી રૂપભર વિલાસી રસ્ત્રી એને માટે જગતમાં પિતે ખરાબ ન દેખાય, એટલી સાવચેતી સાથે – હિંમતવાન માણસ જાહેરમાં, કમજોર ખાનગીમાં – એનો સ્પષ્ટ એકરાર કરે છે!
માનવીને આ નશે એટલે વ્યાપે છે, કે શાસ્ત્રો, સાહિત્ય,