________________
અપહતા
- ૧૮૩ પછી શેઠાણીએ કહ્યું: “ભાઈ, શહેરમાં જઈને પૂછી આવશે, કે તમારી વહુ રંજન આવી છે. એને રાખશો ?”
મેં કહ્યું : “એમાં પૂછવાનું શું હતું? ઘરનું ભાણસ ઘરમાં ન રહે તે ક્યાં જાય?”
એમણે કહ્યું: “ભાઈ, તું ન સમજે. સગી મા પણ જો પતિત થાય તે દીકરે એને ન સંધરે, ત્યારે ગમે તેવા પતિત પુત્રને માના ખેાળામાં સદા સ્થાન હોય, એવો આ સમાજ છે. સ્ત્રી અને પુરુષને જોખવાનાં કાટલાં અહીં જુદાં છે. ભાઈ હું તે ઘરની વહુ! આ સંસારમાં સ્ત્રી શોભાની વસ્તુ છે. એની શોભા જાય, પછી એ કશા કામની નહિ! મારી તમામ શોભા ચાલી ગઈ છે. સ્ત્રીનું પિતાનું સત્ર કહેવાય તેવું કંઈ નથી રહ્યું મારી પાસે. બલ્ક શેતાનનો કહો તે શેતાનનો–ને તારા શેઠને કહે તે તારા શેઠને
–અંશ મારા પેટમાં બેઠો છે. આવી મુજ પતિતાને તેઓ રાખી શકશે ? રાખીને કુટુંબમાં મને હરતીફરતી કરી શકશે? સમાજનાં મહેણું સહી શકશે? ભાઈ, જરા પૂછીને આવ !”
મારું મન તે શેઠાણીને સાથે લઈને ત્યાં જવાનું હતું, પણ તે ન માન્યાં. મેં તેમને ખાવાપીવાને બંદોબસ્ત કર્યો. તેઓને પથારી કરી આપી. હું પણ દરવાજા પાસે સૂત. મને ઊંઘ ન આવી, પણ શેઠાણી તે બિચારાં આખી રાત છાનું છાનું રોતાં રહ્યાં. કેસૂડાની પાસે વારે વારે આવીને ઊભાં રહેતાં..
સવારે હું ખાવાપીવાનો બંદોબસ્ત કરીને શહેરમાં જવા ઊપડ્યો, ત્યારે શેઠાણીએ પાસે બોલાવીને કહ્યું : “જે, તેઓ કહે કે આ ગર્ભ શંકાસ્પદ છે, અમે નહિ જાળવીએ, તે તે પણ હું પતાવી દઈશ.”
હે ભગવાન !” હું એટલું બેલી નીકળ્યો. શહેર પહે , ત્યાં જઈને વાત કરી. બધાં સગાં ભેગાં થઈ વિચાર કરવા લાગ્યાં, આખરે સહુએ એક મતે કહ્યું :