________________
૧૮૨
કંચન ને કામિની
પણ આવ્યાં. આપનાં માતુશ્રી ને નાનાભાઈ પણ અહીં આવ્યા. પણ અહીં રહેવા જેવું કે લેવા જેવું શું હતું ? બધું ભારે ભારે લાગવા માંડવું. થોડા દહાડા રહી, બંગલાની સંભાળ મને ભળાવી તેઓ ચાલ્યાં ગયાં.”
“રંજનની કંઈ ભાળ ન કાઢી ?' - “ભાળ તે શું કાઢે ? ક્યાં કાઢે? કોણ કાઢે? ખૂન થયું, ખૂન થયું એમ ફૂટી કાઢ્યું. પણ શેઠ! એક રાતની વાત છે. ચાદરમાં ઢંકાયેલી એક સ્ત્રી રાતના પહેલા પહોરે દરવાજા પર આવીને ઊભી રહી. હું જાગતું હતું. હવે તે આ ગામ માયાનગરી બની ગયું છે. અહીં કમોતે મરેલાં માનવીનાં પ્રેત જ્યાં ત્યાં ભમતાં હોય છે. હું કંઈ પ્રેત-પિશાચથી ડરતે નથી. મેં ધારીને જોયું તે હુબહુ શેઠાણીનું પ્રેત ! હું શિવકવચ બેલત આગળ વધ્યા, કહ્યું: કેમ આવ્યાં છો? ભૂતથી ડરનાર માણસ નથી હો !”
હું જીવતું માનવી છું. રહેવા આવી છું!નાસીને આવી છું !”
મને અવાજ પ્રેતને ન લાગેજીવતા માણસને જણાય. પાસે ગયો. શેઠાણીને ધારીને જોયાં. પણ જાણે એ શેઠાણી જ નહિ હું મર્દને બચ્ચે એમને આ બિસ્માર હાલતમાં જોઈને રડી પડ્યો. મેં અંદર આવવા કહ્યું.
એમણે કહ્યું: “અંદર જે હોય તેને પૂછી જે. મને રાખશે?” મેં કહ્યું: “અંદર કઈ નથી.”
શેઠાણી અંદર આવ્યાં. શેઠ, શું કહું? આ જ ઓટલા પર બેઠાં, અને એકાએક છાતી ફાટ રડી પડ્યાં. એમને શાંત રાખવા હું ગયો તે માય ધીરજને બંધ તૂટી ગયે. હું પણ છૂટે મેએ રડ્યો. મેડી રાતે અમે બંને રડીને હળવા થયાં.