________________
અપહુતા
૧૭૯
નિઃશસ્ત્ર અબળા-ભુજાના બળે સામે થઈ પણ કુમળા ઝાડની ડાળને કેઈ કઠિયારો હાથથી આમળી નાખે એમ એ હાથ અમળાઈ ગયા. - નરપિશાચે રજનને ઉપાડી. ભૂખ્યા ભિખારીને મીઠાઈને થાળ મળે તેમ થયું. નિરાધાર અબળા ભાનમાં હતી ત્યાં સુધી દ્રૌપદીને લાજનાં લૂગડાં પૂરનાર ગેવર્ધનધારીને યાદ કરી રહી, ને પછી બેભાન બની ગઈ
રંજન પર શું વીત્યું એ કહેવું કલમની બહાર છે. દૈત્યો પણ થરથરી ઊઠે, માનવ પણ હેવાન બની જાય, એવા એ પ્રસંગે હતા. રાજકારણનો દેવ લેહી માગે છે. નિર્દોષ ને સદોષ માનનાં રક્ત એને ધરવામાં આવ્યાં.
રંજન જાગી ત્યારે એ, પિતાના જેવી અનેક દુખિયારી અર્ધનગ્ન સ્ત્રીઓના ટોળા વચ્ચે પડી હતી. શરીરનું અંગેઅંગ દુખતું હતું. દુર્ગધ મારતું હતું.
એકવાર એણે આંખ ઉઘાડી, પતે ક્યાં છે, એ જાણવા પ્રયત્ન કર્યો : પણ એ પ્રયત્ન એ નીવડ્યો કે એ ફરી બેભાન બની ગઈ ફરી જાગી ત્યારે વધુ દુઃખદ દશ્ય એણે જોયું. કેટલાક નરપિશાચ સ્ત્રીઓનાં ઉઘાડા અંગેની મશ્કરી કરતા ત્યાં ફરતા હતા. વેચાણના સોદા થતા હતા.
રંજન ફરી બેભાન બની ગઈ. “શું સંસાર પરથી વહુ-બેટીની, બેન-દીકરીની લાજ–આબરૂ ચાલી ગઈ! સંસારને આ ગેળે પિલ છે? સબળ માણસ હજી પણ વરૂ છે, ને નિર્બળની હાલત હજી પણ ઘેટા જેવી છે !”
આ વખતે રંજન જાગી ત્યારે એણે એથી વિપરીત દશ્ય જોયું. એ એક અંધારા ઘરના ખૂણે પડી હતી. એના શરીર પર સુંદર વસ્ત્રો