________________
સતી : નવી અને જૂની
૧૬૭ થયું ને નવી શેઠાણીએ માનીતી ચાકરડી પાસેથી બધો ભેદ પામી લીધે. શયનગૃહનાં બારણાં બંધ થયાં. ખંભાતી તાળાં લાગ્યાં.
શેઠ જરા મેડા પણ ખૂબ ઉતાવળમાં આવ્યા, છતાં અસર બંધ બારણાં ન ખૂલ્યાં. બહુ માથાકૂટ થઈ, પણ છેલ્લે જવાબ મલી ગયો.
એ નહિ ચાલે! આડાઅવળા ન જવાની પ્રતિજ્ઞા કરે તે જ બારણું ખૂલે!” - શેઠ આવી વાત જીવનમાં પ્રથમ જ સાંભળતા હતા. તેમણે ઘણે ગુસ્સો કર્યો, બહુ ધમકી આપી, પણ બધું નિષ્ફળ ગયું. સ્ત્રી વજજરની નીકળી.
એણે કહ્યું : “ધમકીબમકી નહિ ચાલે. હું તમને વફાદાર રહેવા બંધાઈ છું. તમે મને વફાદાર રહેવા બંધાયા છે. બહુ કરશો તે કેટે જઈ છૂટાછેડા મેળવીશ ને તમારી પાસેથી જિવાઈ લઈશ, ને તમારા ઘેર રહી તમારા કુટુંબનું જ નાક કાપીશ. મને તે એક કહેતાં એકવીશ હૈયાફૂટા મળશે. હું તમારાં ખાસડાંને પૂજનારી જૂનવાણું સતી નથી. તમે સીધા રાહે ચાલશો, તે હું સીધે રાહે ચાલીશ. તમારી થઈને રહીશ. બાકી એકપક્ષીય કંઈ નહિ બને !'
નગરશેઠના કાનના પડદા આ શબ્દોએ ચીરી નાખ્યા. એમણે પિતાની વર્તણૂક સુધારવાના સેગન ખાધા. દ્વાર ખૂલ્યાં. શેઠ અંદર આવ્યા સેફ પર પટકાઈ પડ્યા ને ગણગણ્યા: “અરેરે! ક્યાં પ્રમીલા ને ક્યાં મધુમાલતી ! ખરી સ્ત્રી ગઈ ! સતી ગઈ.'
શેઠે શેઠાણીને એ દિવસે સારી ચાલચલગતના જામીન આપ્યા.