________________
૧૫૮
કંચન ને કામિની લાડકી કહેઃ “ભા, મારી નાખ તે હા, બાકી પરણીશ તે નહિ નહિ, ને નહિ.”
રમણકે એને સાંત્વન આપ્યું. એક ગરીબ ઘરના પિતાના મિત્ર સાથે એનું સગપણ કર્યું. આસો મહિને લગ્ન તો ન નીકળે, પણ એનાં લગ્ન તો થઈ ગયાં. આ દરમ્યાન એને ખબર મળી કે એતમચંદ પિતાની દીકરીનું ભવિષ્ય બગાડવા બેઠે છે. પિતાની બેનનું સુધારી રમણીક બીજાનું બગાડવા ઈચ્છતા નહેતો.
એણે કેટલાક જુવાન કાર્યકર્તાઓને વાત કરી. બધા નીકળીને કેમ્પમાં આવ્યા. રમણુંકે આવતાની સાથે વાત કરવા માંડી.
“લાડકી તે જીવે છે. મરી નથી ગઈ કઈકે અદાવતમાં આવી ખબર આપી હશે. મુંબઈમાં આવું બહુ ચાલે.”
આ તરફ ચાંલ્લાની તૈયારીઓ ચાલી રહી હતી. એમાં આ - સમાચાર મળ્યા એટલે જોઈ લે, ઓતમચંદ શેઠના હાલ !
ઓતમચંદને પૂછે તે કહે મરી ગઈ ને બહાર ગામમાં જાય તે લેકે કહે : “આ શું કરવા બેઠા છે ? શું પાનાશેઠને એક સાથે બે પરણાવવી છે?”
ચૌદશિયા ટાળીને આ નાયકને આખા ભવમાં આજે ગુરુ મો. બિચારે ન આબરૂનો રહ્યો ને ન ઘરને રહ્યો. વધારામાં પાનાશેઠના ફેટા સાથે છાપેલું એક હેન્ડબીલ નીકળ્યું; એમાં લખ્યું હતું.
આ ધૂને પરણવું છે, કોઈ પોતાની બેન-દીકરી પરણાવશો ?'
અરર, આ તે છોકરાંઓએ ગામ ગધેડે બેસાડ્યું. બાપદાદાની --સંચિત કરી રાખેલી આબરૂ સાવ જોવાઈ ગઈ. ફેટ જોઈને સહુ કહેઃ “અરે, આ તે ભડાને હાથે મીંઢળ.'