________________
૧૫૬
કંચન ને કામિની
- લાવશે. પણ એમાં શોભા નહિ રહે, તમારી કે અમારી. માટે બાંધી મૂઠી રાખવી સારી છે.'
હું, હું, વખતચંદ ! એવી વાત થાય? એતમ શેઠ તે આપણું અંગ છે. ચાર ગયા તે ગયા, આ બીજા પાંચસો ભેળા આપું છું.” ને ગામડાગામના શહુકાર-ચાર પાનાચંદે અજબ કુનેહ બતાવવા માંડી. આવી જ ઉદારતાથી કેટલીય વિધવાઓનાં ઘરબાર એમણે પચાવી પાડ્યો હતો. * પાંચસે કલદાર આગળ મૂકી દીધા. એતમ શેઠ વિચારમાં પડી ગયા. મંજુલાને ગમે ત્યાં આપવી જ છે ને ! અને અત્યારના છોકરી જેવાં પાટિયા પાડી, લટકમટક ચાલતા જુવાનિયા શું લીલું કરવાના હતા? ખાધે-પીધે સુખી છે અને વળી મારે પણ ઓથ થાય છે.
ઓતમચંદને વિચારમાં પડેલા જોઈ પાનાશેઠે વિશેષ દાબ આપેઃ બોલે, શો નિર્ણય કર્યો ?”
ઓતમ શેઠ બેઘડી વિચારમાં પડી ગયા. એકવાર ઘરમાં અટ મારી આવ્યા. ઘરમાંથી બરાએ જરાક વાંધે કાઢ્યો : “લાડકીની જેમ શીંગડાં માંડશે તે ?”
ઓતમ શેઠ ગર્યો : “અરે! બૈરાંની બુદ્ધિ પાનીએ, કહ્યું છે તે સાચું કહ્યું છે. બોલે તે જીભ ખેંચી નાખું. આપણા ઘરમાં એલફેલ ન ચાલે.”
થોડીવારે એતમ શેઠ બહાર આવ્યા ને બોલ્યા : “ચેરની મા કેઠીમાં મેં ઘાલશે. મંજુલાનું વેવિશાળ કરશું તમારી સાથે, પણ બીજા પાંચસો ઉમેરવા પડશે. પેલા ચારમાંથી મારે પાઈ હરામ છે. મારે બેટે બનાવી ગયો. પણ એને ય વખત આવ્યે ભરી પીશ. હું કોણ?”