________________
ચૌદશિયે
૧૫૧
ઇ જવું.
માસ્તરે ચાલતાં ચાલતાં કહ્યું, “રમણીકલાલ! મને લાગે છે કે આવા બબૂચકાની બે તમારે ભુલાવી દેવી જોઈએ. એને ઘર બરાબર સુધારી દે ! ફરીથી કોઈની બેન-દીકરીઓના ભવ ન બગાડે.”
રમણીક કંઈ પણ બેલી શકે તેવી સ્થિતિમાં નહોતું. એ પણ એના દિલમાં આવી જ કોઈ ગડભાંજ ચલાવી રહ્યો હતો. સ્ટેશન પર પહોંચીને એ વધુ ન રોકાઈ શક્યો. એ તરત જ પાછો ફર્યો. આખા રસ્તે એણે પરિસ્થિતિ પર ખૂબ ગંભીરતાથી વિચાર ચલાવ્યો,
આખરે એણે કઈ નિશ્ચય કર્યો હોય તેમ જણાયું.
કાંપના સ્ટેશને એ ઊર્યો ત્યારે એનો ચહેરે હસમુખ હતા. ઓતમચંદશેઠ તે હાજર જ હોય. એમણે કહ્યું: “કેમ ભઈલા, અમે કંઈ તારી બેનને ભવ તે નથી બગાડ્યો ને ? હાશ, લેકે મારે માથે દોષ દેતા હતા, હવે તો તને જ આગળ કરીશ.'
ઓતમચંદશેઠ કૃત્રિમ હાસ્ય કરતા હતા, રમણીક પણ સામે એવી જ રીતે હસતે હતો. બંને હસતા હસતા ઘેર આવ્યા. લાડકીના દિલને પણ આનંદ થશે. લાકીની માને તે ઘેર જાણે દિવાળી આવી.
ત્રણેક દિવસ આમ ને આમ ચાલ્યું. એથે દિવસે પાનાશેઠના ચાર હજાર રૂપિયા લઈને એક માણસ રૂબરૂ આવ્યું, એટલે રૂપિયા ગણી લીધા. રમણકે એ બધી રકમ અંદર ભંડારિયામાં મૂકી. ઓતમચંદ શેઠે ખુલાસે કો ઠીક મા, કારણ કે રૂપિયા લાવનાર નો માણસ હતો.
રમણીક, બે હજાર તમારા, ને બે હજાર અમારા કામધંધા અંગેના છે. પર કાલાં કપાસમાં જરા ઠીક કમાયા હતા. સદ્ધર પેઢી એટલે હિસાબ બાકી હત. સંગાથ ભેળા મોકલી આપ્યા. ભલે હમણાં તારે ત્યાં રહે, પછી થઈ રહેશે. અને ભાઈ રમણીક, આ બે હજાર પણ લગ્ન વખતે ચોથે કેરે આપવાનો રિવાજ હોય છે, પણ