________________
૧૫૨
કંચન ને કામિની
અમારે તે ઘર જેવો સંબંધ અને તારે લગ્નના ખરચ ખૂટણમાં કામ આવે એટલા માટે શેઠે વહેલા મોકલ્યા.'
તમ શેઠિયાઓની મહેરબાની છે. પછી લઈ જજોને, ભઈજી !” રમણીક આભાર માન્યો.
ઓતમચંદ ઘેર ગયા. રમણીક રાતે કંઈક ઉતાવળ કરવા માંડ્યો. એણે માને અને બહેનને એકાંતે બોલાવી પિતાના પ્રવાસનું વર્ણન કર્યું. પાનાશેઠને ફોટો બતાવ્યો, અને કહ્યું, કે “શું તમને જમને ડર નથી ? દીકરી વેચવી છે?”
મા સમજીને રડી પડી. રમણીકે માને અને બહેનને પિતાની સાથે મુંબઈ આવવા આગ્રહ કર્યો. બંનેને તૈયાર કર્યા. એ વખતે ગમે તેમ પણ પાનાશેઠનો પત્ર આવ્યા, એમાં તમશેઠને ત્યાં બોલાવ્યા હતા. કાગળ તારની માફક સમજવાનું લખ્યું હતું.
શ્રીમંત માણસ સાથેનો પરિચય ખાસ કામનો, એમ સમજી ઓતમચંદ ત્યાં જવા રવાના થયા. જતાં જતાં હિસાબનું કામ આવીને પતાવીશું અને જોખમ જાળવજે, તેમ સુચના કરતા ગયા.
રમણીક પણ એમની પાછળ મા તથા બહેનને લઈ મુંબઈ ઊપડી ગ. એણે સારા લત્તામાં મકાન શોધી ભાડે રાખી લીધું. ભરણપોષણ પૂરતાં બે એક ટયુશન શેધી લીધાં. ચાર હજાર સીધા બૅન્કમાં ખાતું ખેલાવી જમે કરાવી દીધા.
એતમચંદ શેઠ ખિજવાયેલા ઝટઝટ પાછા આવ્યા, પણ રમણીક મુંબઈ ગયાનું સાંભળ્યું. કોઈએ કાગળ ખેટે લખેલે, એટલે એમને ખાલી ફેર જ પડ્યો. કાંપમાં આવીને રમણુંકને કાગળ પર કાગળ અને તાર પર તાર કરવા માંડ્યા, પણ કોઈ ન આવ્યું. તમશેઠ મૂંઝાવા લાગ્યા. ત્યાં એક દિવસ તેમને તાર મળ્યો :