________________
૧૪૬
કંચન ને કામિની
હતા ધોધ અમને પેતાના માતા
વારુ !' રમણીકને પિતાના મુરબ્બી ઓતમચંદ શેઠની મહેરબનીને ધધ આમ એકાએક ફાટી નીકળવાનું કારણ ન સમજાયું. છતાં એની કલ્પનાએ સંદેહની દિશામાં વેગ કર્યો. દર કાગળે રૂપિયા મંગાવવા બાબત ઠપકે લખનાર ઓતમચંદની, એકાએક વરસી પડેલી ઉદારતાના, ભીતરના ભેદ પિછાણવા રમણીક અધીરે થઈ રહ્યો.
આ પછી તે ઘણું ઘણું મીઠાશભરી વાત થઈ ગઈ.
માતાએ પણ પુત્રને અત્યંત પ્રેમથી નવા. પિતાની નિરાધારીના આ એકમાત્ર આધારને વિકસતા પ્રિય પુષ્પને જોઈ જોઈ માતાને કંઈ કંઈ થઈ આવ્યું. છતાં એ પણ કંઈક છુપાવવા મથતી હતી. જેને પ્રથમ પિતે પાપ ક૫તી, ઓતમચંદના સમજાવ્યા પછી જે પાપને પુણ્યના નવા લેબાશમાં પિતે સ્વીકાર્યું; એ જ પુણ્ય પુત્રનું મેં જોતાં ફરી પાપરૂપે ડંખવા લાગ્યું. - ઓતમચંદે આજે વહેલી સવારે અમુક સૂચનાઓ આપી હતી. જુવાનિયાઓની રીત વિષે લાંબું ભાષણ પણ ઝાડયું હતું.
લાડકી ભાઈને એકાંત મળી. એણે કહ્યું. “વીરા, તારું ભલું થતું હોય તો એમાં આડી જીભ નહિ કરું. પણ દાળમાં કાળું લાગે છે. જરા તારી રીતે તપાસ કરજે. આ કેઈને વિશ્વાસ ન કરજે.'
આ દિવસ રમણીક ગંભીર રહ્યો. સાંજે મા-દીકરાને એકાંત મળતાં એણે પૂછ્યું:
બા, લાડકીને કેવું ઠેકાણું મળ્યું? વર ને ઘર કેવાં છે?” ‘પૂર્વપુણ્યાઈથી સારું મળ્યું છે. ભાઈ ટૂંકામાં લાડકી ભાગ્યશાળી!”
મુરતિયાની ઉંમર કેટલી છે?” “એ જ, લાડકીને જેગ.
યોગ્ય એટલે?” રમણુંકે આંખ ઊંચી કરીને પૂછ્યું. માતાનું ભીરુ મન ધ્રુજી ઊઠયું. એની જીભ લેચા વાળવા લાગી.