________________
૧૪૦
કંચન ને કામિની
સહુની જીભ ઉપર એમનાં નામ અડધી રાતે પૂછે તો પણ હાજર રહેતાં. કોઈ પણ જમણવાર સફળ થશે કે નિષ્ફળ થશે, એ એની વસ્તુઓની સારાસારતા પર નહિ, પણ આ મંડળ સાથેના સારાનરસા સંબંધ સાથે સંકલિત હતું. વેવિશાળના વિષયમાં પણ તેમની આવી જ એકહથ્થુ સત્તા ચાલતી હતી. સારામાં સારાં વેવિશાળ તેઓ ધારે તે ધૂળ મેળવી દેતા; ને ધારે તે આંધળે બહેરું જોડી
તાં એમને વાર ન લાગતી. દેવગુરુને તે કઈ નમસ્કાર કરે કે ન કરે, આ મંડળને સહુએ નવગજના નમસ્કાર કરવા જ પડતા.
આ મંડળના સ્વયંનિર્મિત પ્રમુખ-ઉપપ્રમુખ પણ રહેતા. ઓતમચંદ એના પ્રમુખને સવારમાં જ રાજી કરી આવ્યા હતા, એટલે હવે એને કેઈના બાપની સાડીબાર નહતી!
ઓતમચંદ આવ્યા એવા લાડકીની માએ એમને રસોડામાં બોલાવ્યા, ને લાડકીની સ્થિતિ વિષે ઇશારે કર્યો. તમચંદે કહ્યું
“પારકી થાપણને પંપાળવી સારી નહિ. એને તે હમણું સમજાવી દઉં છું. ગાંસડે કપડાં ને ઢગલે ઘરેણું જોશે, ત્યારે મને કે તમને કોઈને સંભારવાની નથી.”
એમ કહેતાં ઓતમચંદે લાડકીને બોલાવી. લાડકી મહામહેનતે બહાર આવીને ઊભી રહી.
બેટા લાડકી, બોલ તારે કંઈ કહેવાનું છે? કાકે થાઉં એટલે કંઈ કહેતાં હું શરમાઉં છું, પણ તારે કંઈ કહેવું હોય તે સુખે કહી દે ! મહેમાન ઘરેણની યાદી માગતા હતા. મેં તે કહી દીધું કે તમારી ગામડાશાહી એમાં નહિ ચાલે. કાંપ કાં અમદાવાદ, બેમાંથી એક ઠેકાણે ઘરેણું ઘડાવવું પડશે. કપડાં પણ આપણે જ પસંદ કરીને લઈ લેવાનાં છે.'
સર્વે ગુણઃ કાંચનમાશ્રયને સર્વ ગુણ સેનામાં સમાઈ જાય છે, એ અનુભવને લક્ષમાં રાખીને તમચંદ શેઠ લાડકીને સમજાવી