________________
ચૌદશિયે
૧૩૭ દીધે, એ તાળો લાડકીને બેઠો નહિ. એ થોડું ઘણું ભણી હતી; અલબત્ત, ભણવાની હોંશથી નહિ પણ ભણેલગણેલે મૂરતિયો પાછો ન જાય એ હિસાબે મા-બાપે એને નિશાળે મેકલી ભણાવી હતી.
ઘરડાં મા-બાપ આજના નવા ભણતરની સદાસવંદ છડેચોક નિંદા કર્યા કરતાં, છતાં ભાગ્યે જ એમના કોઈ સંતાનને તેઓ નિશાળે મોકલ્યા વગર રહ્યાં હશે ! તેઓ કહેતાં કે આ ભણાવવું ભણવા માટે નથી, પરણવા માટે છે !
એટલે લાડકી કંઈક ભણી હતી. એનું હિસાબી જ્ઞાન બહુ સારું તો ન જ કહેવાય, છતાં અઢાર અને બેંતાલીસ વચ્ચે આંતર એ સમજતી હતી, અને તેમાં પણ એક સ્ત્રી અને એક પુરુષ વચ્ચેનું એ અંતર કેટલું દુઃખદ છે. એની ઘણી માહિતીઓ એના નાનાશા કથાકારમાં સંગ્રહાયેલી હતી
લાડકી ઓરડામાં આવીને ગોદડામાં મેં ઘાલીને પડી. સહુથી પહેલાં તે એણે ડું રડી લીધું. રડવાના કાર્યથી નિવૃત્ત થઈને
એ પિતાના ભવિષ્યનો વિચાર કરવા લાગી. ઓતમચંદને પિતાનો હિતસ્વી લેખ કે હિતશત્રુ એને એ નિર્ણય કરવા મથવા લાગી.
દીકરી અને ગાય, દોરે ત્યાં જાય; આ કહેવત લાડકીના કાને ઘણીવાર નાખવામાં આવી હતી. જે કોઈ ઘરડાં પુણ્યશાળી પૂર્વજોનું આ આજ્ઞાવચન હોય તે લાડકીએ તે વિષે ઊંકાર કે ચુંકારે કરવાની જરૂર નહતી. અથવા બીજી તરફ ભાઈ બારીસ્ટર બને, એ સુખદ સ્વપ્ન માટે પિતાની તમામ તૃષ્ણાઓ ચગદી નાખી તપ તપવાની પણ જરૂર હતી.
લાડકી ફરીવાર રડી પડી. થોડીવારે એની માતા ઓરડામાં આવી લાડકી અને એની માની પથારી પાસે પાસે હતી. જુવાન દીકરાની પથારી ગમે ત્યાં પડે, પણ જુવાન દીકરીને મા પથારીમાં પણ રેઢી ન મૂકે. રાતે બે ચાર વાર હાથ ફેરવી જુએ. માતાએ