________________
૧૩૬
કંચન ને કામિની એ પ્રહાર અચૂક લાગ્યો. શેઠાણું ચૂપ રહ્યાં. ઓતમચંદે વખત પારખ્યો, અને એણે વધુ અસર કરવા ભાષણ આગળ ચલાવ્યું :
ભાભી, ડોડે ચઢી હેરાન થઈશ મા! રાંધીસીવીને કેનાં પેટ ભરાયાં છે? પેલી સંતકડીની વાત થાય છે, એ ખબર છે? એનો
કરેય ભણ્યા-ગણ્યા વિના રવડી ગયો. કાઈ કન્યાય આપતું નથી. અને આ ક્યાં આપણે દીકરીના પૈસા લેવા છે, આ તે ભાઈને ભણાવવા આપે છે. હેય એ આપે! અને જમાઈ જેવો હોય તે પછી ક્યાં જેવાતે નથી? કોને કંકુના.”
ભલે, તમને હૈયે બેસે તેમ કરે. આ તે મારું બૈરાનું મન. મનમાં હતું તે કહ્યું,” આટલું બેલી ભાભી નીચે ચા મૂકવા ગયાં, ને એતમશેઠ મૂછે હાથ દેતા મહેમાનોના ઓરડામાં ગયા.
રાતને એથે પહેર ગળતે હતે: આ વેળા દાદર પરથી કોઈ ધીરેધીરે બિલ્લીપગે સરતું જણાયું. ખાનગી વાત જાણવા કોણ ત્યાં આવ્યું હતું?
રાતના ગળતા ચેથા પહેરને વખતે દાદર પરથી બિલ્લીપગે સરકનાર કેઈ ચાર-ચખાર નહેતું, ખુદ લાડકી પોતે જ હતી. યૌવનમાં આવેલી કન્યાઓ ખૂણેખાંચરે ભરાઈને જેમ પોતાના ભાવિ પતિ વિષે જાણવા ઈંતેજાર હોય છે, એવી ઈંતેજારી સાથે એ આવી હતી. મનમાં તે સાંજે ગાયેલું ગીત ગણગણતી હતીઃ
અમે રે ગોરાં, ને રાયવર શામળા !” કઈ સ્ત્રીને પિતાના ગેરાપણાનું અભિમાન નથી હોતું ? મા અને ઓતમચંદની વાતો જાણવાની ઉત્સુકતા જાગવાથી એ નીચેથી દાદર ઉપર આવીને ગોઠવાઈ ગઈ હતી.
અઢાર અને બેંતાળીસનો જે સફાઈદાર તાળો ઓતમચંદે બેસાડી