SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ કંચન ને કામિની સીતાને ત્યાગ થશે. ગર્ભવતી અવસ્થામાં વનજંગલમાં એમને છોડી દેવામાં આવ્યાં. સગર્ભ સુકુમાર સીતાને ઉપર આભ ને નીચે ધરતી રહી! નિર્વાસિતા સીતાને વાલ્મીકિ નામના કવિએ આશ્રય આપે. આર્યકુળની શોભા સમાન સીતાને પોતાના આશ્રમની શોભા બનાવી. સીતાએ અહીં બે પુત્રને જન્મ આપ્યો. દુખિયારી માતા પિતાનું જીવનસુખ પુત્રામાં . એમાં એ પિતાનું દુઃખ-દૈન્ય વિસરી ગઈ કુદરતે સ્ત્રીને ઘણી રીતે કમજોર બનાવી, આ રીતે સબળ બનાવી છે. સીતાએ પુત્રોને પિતાના જેવા પરાક્રમી બનાવ્યા. રે! યજ્ઞમૂર્તિ સીતા! જીવનને તે યજ્ઞરૂપ બનાવ્યું. બીજી તરફ શ્રીરામે અયોધ્યામાં યજ્ઞ શરૂ કર્યો. યજ્ઞમાં તો રાજાને પડખે રાણી જોઈએ. શ્રીરામને લગ્ન કરવા માટે અનેક કહેણ આવ્યાં, પણ એમણે સીતા સિવાય બીજી પત્ની વજ્ય કહી ! રાજાના જીવનની ચોકી કરતી પ્રજાને રાજાના અંતરદાહની એ દિવસે જાણ થઈ! રાજાને અનેક રાણીઓ હેય. એક ચાલી જાય કે મરી જાય તેથી શું? પણ રાજા રામને તે એક જ સીતા હતી. રામે સીતાને છાંડી ન હતી, બલકે પિતાના અર્ધ પ્રાણને વિસર્જન કર્યો હતો ! યજ્ઞવેદીના અગ્નિ જેવું એમનું જીવન બન્યું હતું ! સીતાને આ સમાચાર મળ્યા, ત્યારે એને લાગ્યું કે પિતાને આત્મભોગ લેગ્યસ્થળે અર્પણ થયા છે. આવા પતિ માટે તે આટલાં દુખ શું, જોઈએ તેટલા ભવ પણ ઓળધોળ કરવા એ તૈયાર હતી. અને માનસિક રીતે એકબીજાનાં બની રહ્યાં, પણ એ વિયેગના તાપે બંનેનાં દેહને હાડપિંજર બનાવ્યાં. એક દિવસ સીતાના ક્ષત્રિય પુત્રએ યજ્ઞનો ઘોડે બાંધ્યો, ને વીરત્વની પરીક્ષા આપવા મેદાનમાં ઝુકાવ્યું. માતાને એ વિશ્વાસ
SR No.005970
Book TitleKanchan ane Kamini
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherGurjar Granth Ratna Karyalay
Publication Year1957
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy