SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ રામાયણની નિર્વાસિતા ૧૨૫ પળો તે ખરેખર આનંદની આવી હતી. સીતાજી ગર્ભવંતાં હતાં, પણ શ્રીરામે લંકાના રણમેદાન પર જે શંકા જન્માવી હતી, એ શંકા અગ્નિપરીક્ષા પછી પણ ચૂડેલની જેમ ઘૂમતી હતી. એકવાર ગમે તે રીતે બોલાયેલા શબ્દોનું પણ શું સામર્થ્ય છે! શ્રીરામના મનમાંથી ધેવાયેલી શંકાની કાલિમા આખરે અનુદાર, લોકહૃદયમાં પ્રવેશીને બોલી ઊઠી. શ્રીરામે સેતુ બાં , દાનવ-દમન કર્યું, ને રાવણસંહાર કર્યો : એ બધાં કીર્તિવંત કાર્યો કર્યા. પણ સીતાને સ્વીકાર કર્યો એ ખરેખર અપકીર્તિનું કામ કર્યું. રાજ તો ધમધર્મને નિશ્ચય કરનાર છે. રાજા જે પ્રમાણે વર્તે તેમ પ્રજા વર્તે છે. આ રીતે સ્ત્રી સ્વતંત્ર થશે, પરધરમાં વાસ કર્યાનું પ્રાયશ્ચિત્ત નહીં કરે, તે આર્યકુળોમાં અધમ મચશે. “શું ભલા, રાવણે સીતાને સ્પર્શ પણ નહિ કર્યો હોય ? અને પરપુરુષને સ્પર્શ પામેલી પત્નીને સ્વીકાર પણ કેમ સંભવે ? રાજાને વળી સ્ત્રીઓને ક્યાં તટે છે ? એક કહેતાં એક હજાર. એક એકને ભુલાવે એવી. પછી શંકિત ચારિત્ર્યવાળી સ્ત્રીને સંધરે શો લાભ? આર્ય પુરુષોને એમાં કયો મહિમા ?” વાહ રે સંસાર ! જ્યારે રામે એને શુદ્ધ પ્રમાણું ત્યારે પ્રજા એને અશુદ્ધ પ્રમાણવા લાગી ! રાજા રામનું વ્રત તો પ્રજાજન હતું ! પ્રજા માટે સીતા તે શું, પિતાને પ્રાણ પાથરવા પણ એ કટિબદ્ધ હતા ! મંત્રણસભાને એમણે આમંત્રી. અભિપ્રાય પૂછળ્યો. સભા “હા” કે “ના” કશુંય ન બેલી! શ્રીરામ સમજ્યા કે પ્રજા સીતાના પુનઃ ત્યાગમાં સંમત છે, ફક્ત મારી શરમ એમને સ્પષ્ટ કહેતાં ખાળે છે. શ્રીરામ કર્તવ્યપાલનમાં મેરુ જેવા અચળ હતા. ફરી વાસ
SR No.005970
Book TitleKanchan ane Kamini
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherGurjar Granth Ratna Karyalay
Publication Year1957
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy