________________
૧૨૪
કંચન ને કામિની
બરાબર છે. છેલ્લે એક કામ કરે. વીરા લખમણજી! દુખિયારી -ભાભીને કાજે એક ચિતા જ આપે. ભડભડતા હૈયાને એ ચિતાની
જ્વાલાઓ અનહદ શાંતિ આપશે. નિરાધાર, નિર્વાસિત સ્ત્રીનું છેલ્લું શરણ કાં જળ કાં અગ્નિ છે!'
બિચારા લક્ષ્મણજી! શું બોલે ? લાલઘુમ આંખે એ મોટાભાઈ તરફ જોઈ રહ્યા, પણ જાણે મોટાભાઈ સીતાની આ માગણીમાં સંમત હોય એમ લાગ્યું.
ચિતા ખડકવામાં આવી. જવાલાઓ ભડભડ કરતી ભભૂકી ઊઠી. સીતાએ બે હાથ જોડી કહ્યું : “હે અગ્નિદેવ, જીવન કરતાં પવિત્રતા મને વધુ પ્રિય છે. પવિત્રતા જાય પછી દેહ ટકાવી રાખવાને કંઈ અર્થ નથી. હે નિરાધારના આધાર વહૂિદેવ ! કલંકિની હોઉં તે ભસ્મસાત કરશે, ને શ્રીરામ વિષે એકચિત્ત હોઉં તો રક્ષા કરજે. પાપ ને પવિત્રતાની પરીક્ષામાં કંઈ બાકી ન રાખશો.”
આટલું બોલી સીતાએ નિઃસંકેચ રીતે અગ્નિમાં પ્રવેશ કર્યો, પણ બધાના આશ્ચર્ય વચ્ચે એ અણિશુદ્ધ બહાર આવ્યાં. અગ્નિએ જાણે પિતાને બાળવાનો સ્વભાવ બદલી, પાળવાને સ્વભાવ ધારણ કર્યો. બધી જનમેદની જયજયકાર કરી ઊઠી. સહુએ એકત્ર થઈને શ્રીરામને પવિત્ર સીતાના સ્વીકાર માટે પ્રાર્થના કરી.
પ્રચંડ મેઘ જેમ પહાડ તરફ ધસીને જલવષ કરી મૂકે તેમ શ્રીરામ ધસ્યા, સીતાને ઊંચકીને વિશાળ વક્ષસ્થળમાં સમાવી દીધી. અત્યાર સુધી રામ રાજા હતા. એ પળે એ પતિ બન્યા, ને પત્ની સીતાને વહાલ કરી રહ્યા.
[૫] દાંપત્યસુખના દિવસો બહુ લાંબા ન ચાલ્યા. સીતાદેવી -અધ્યાના રાજમહાલયમાં શ્રીરામ સાથે બહુ સમય ન વસી શક્યાં.