________________
રામાયણની નિર્વાસિતા
૧૨૭
આપવા માગતા હતા કે તારી કેળવણી અમે પૂરેપૂરી પ્રાપ્ત કરી છે! પણ આખરે તે બાળકને ? એમણે બળિયા સાથે બાકરી બાંધી લીધી.
રે! અશ્વ તે અયોધ્યાના ચક્રવર્તી રાજા રામનો હો, ને ખુદ રાજા રામ સામે મુખે લડવા પણ આવ્યા. બાળકેએ કહ્યું :
અમારા હાથમાં ધનુષ્ય હાય, માતા ને ગુરુના આશીર્વાદ હોય, પછી સામે એક રામ હોય કે આખું ગામ હેય તેની અમને પરવા નથી.”
પિતા ને પુત્રોની લડાઈ! કઈ માતા કે પત્ની એ જોઈ શકી છે, કે આ જોઈ શકે ? સીતા દેડી! કવિ વાલ્મીકિ ધસી આવ્યા. પરસ્પર પિછાન આપી ને પિછાન લીધી.
શ્રીરામે ગળગળે સાદે કહ્યું: “પવિત્રતાનાં અવતાર સીતાદેવી! અયોધ્યામાં પધારો.”
સીતાજી બે હાથ જોડી બેલ્યાં:
હે મનમંદિરના દેવતા, મારો સમય પૂરો થયો. આરતીના દીપની દિવેટમાં ઘી તે કેટલું હોય? એ ઘી પૂરું થયું. કલંકિત કરાપેલી સ્ત્રીના જીવનમાં ને મૃત્યુમાં મૃત્યુ સુખદ હોય છે. છતાં હું દુઃખદ જીવન જીવી તમારાં ને મારાં આ બાળ માટે!
“હું તો યજ્ઞભૂમિની કન્યા છું. ધૂપસળી જેવું મારું ભાગ્ય છે. આ બાળકને તમારા જેવાં બનાવી, તમને સોંપું છું. પારકી નીતિની ચોકીદારી કરતી અયોધ્યાની પ્રજાને મારો એક જ સંદેશ છે! એ ધર્મપ્રાણ પ્રજાને કહું છું કે ધર્મ ન ભૂલે ! રામ જેવો પતિ પામીને હું તો ગર્વ અનુભવું છું! સંસારમાં સીતા તે અનેક હશે, પણ રામ તો નથી જ નથી ! વહાલા રામ! પૃથ્વીની પુત્રી સપ્રણામ વિદાય યાચે છે! પ્રણામ ! હે પૃથ્વીમાતા ! હે પૃથ્વીમાતા ! માર્ગ દે તારી દુહિતાને!”