________________
૧૨૨
કંચન ને કામિની શ્રીરામ થોડીવાર થોભ્યા, ને પુનઃ બેલ્યા:
હે સીતે! આંખના દરદીને ઝળહળતો દીપ પ્રતિકૂળ લાગે છે, તેમ આજે તું મને પ્રતિકૂળ ભાસે છે! જેના ચરિત્ર વિષે શંકાસ્થાન પેદા થાય એ સ્ત્રી કેમ કરીને પ્રિય લાગે ?”
સીતાનું ધીરજ ધારી રહેલું હૈયું એ કઠોર વાણી ઝીલી ન શક્યું. એના મસ્તિષ્કમાં એકાએક ધડાકા ઊઠયા. રામવાણી આગળ વધીઃ
“તું એમ ન માનતી કે મેં આ બધે શ્રમ તારે માટે કર્યો છે! મેં આ બધું મારા કુળનું લાંછન મિટાવવા, સૂર્યવંશની કીર્તિ નિષ્કલંક રાખવા માટે જ કર્યું છે. તારાં અંગેને શત્રુએ
સ્પર્શ કર્યો છે. એની કામભરી આંખેથી તું નીરખાઈ છે. પરગૃહમાં રહેલી સુંદર સ્ત્રી કદી સુરક્ષિત રહી છે? બિલાડીના કબજામાં આવેલું દૂધ કદી અસ્વાદિત રહી શકે ખરું? આવી સ્ત્રી ગમે તેવી સંદર હોય તો પણ એને કયો પતિ સંધરે ? અને તે પછી રાક્ષસ તથા પિશાચ કુલેમાં ને આર્ય કુલેમાં શો ફેર રહે ? માટે હે સીતે, હું તને મુક્ત કરું છું. દશે દિશા તારા માટે ખુલ્લી છે. ઈચ્છા પડે. ત્યાં ચાલી જા !”
સીતાનાં સુંદર નેત્રામાંથી શ્રાવણના આકાશમાંથી મેઘ વરસે એમ આંસુ ઝરી રહ્યાં. શ્રીરામે સીતા તરફ નિહાળ્યા વિના આગળ બોલવું ચાલુ રાખ્યું:
“હે મનેહારિણી સ્ત્રી, તારું રૂપ જોઈને રાવણ કાંઈ એમ ને એમ બેસી રહ્યો ન હોય! તળાવ કાંઠે જઈ કે તરસ્યું રહે? માટે ભારે અર્થે તું ત્યાજ્ય છે. આ લક્ષ્મણ છે, ભરત છે, સુગ્રીવ છે, શત્રુદન કે વિભીષણ છે, ગમે તેના પર તારું મન સ્થિર કર !”
આ શબ્દોથી ઝરઝર ઝરઝર વરસતા સીતાના વિશાળ નયનાકાશમાં ભયંકર વીજળી ને ગર્જનાઓ થવા લાગી. નિરાધાર સીતા