________________
રામાયણની નિર્વાસિતા
૧૨૧
પણ રામ તે હતા ત્યાં ને ત્યાં ઊભા રહ્યા. વિભીષણે કહ્યું: “સીતાજી આવી પહોંચ્યાં છે!”
શ્રીરામ તોય સ્તબ્ધ બની ખડા રહી ગયા. એ પ્રિયાને મળવા અધીર ન બન્યા, બકે તેમના મુખ પર ગ્લાનિની એક આછી વાદળી પથરાઈ ગઈ. તેમણે શાંત, ધીરને સ્વસ્થ શબ્દ કહ્યું :
સીતાને મારી સમીપ લાવે.” કમલવદના સીતા આજ ચાલતી નહોતી, પણ ઊડતી હતી. એનું મન આપોઆપ નાટારંભ કરી રહ્યું હતું. પણ એણે શ્રીરામને જોયા–શાંત, સ્વસ્થ, હિમાચલ જેમ અકંપિત! ત્યારે અંધારી રાતમાં વાદળી ગળી જાય, એમ એનું હૈયું ગળી ગયું ! એના કલ્પનાના મિનારા એકદમ ભૂકંપનો વેગ અનુભવવા લાગ્યા.
શાંતમૂર્તિ શ્રીરામના મુખમાંથી પાણી સંભળાઈ. એમાં ક્યાંય પ્રેમની ઉષ્મા નહતી, ઉપેક્ષાની હાડ ગાળતી શીતળતા હતી. રામ બોલ્યા :
“ભદ્ર, મેં પુષકાર પરાક્રમને યોગ્ય કાર્ય કર્યું છે, તે શત્રુનો પરાભવ કર્યો છે. મારું પૌરુષ જગતને વિદિત થયું છે, ને મારે શ્રમ આજ સફળ થયો છે. જે પુરૂ અપમાન પામી, એને પિતાના તેજથી માર્જન કરતો નથી, એ છે તે પણ શું ને મર્યો તો પણ શું? મને લાગેલા અપવાદને મેં મહાઉદ્યમ દ્વારા ને મારા સ્નેહીજનના બળ દ્વારા દૂર કર્યો છે. સૂર્યવંશ પર લાગેલા લાંછનને મેં સર્વથા ધોઈ નાખ્યું છે.'
પતિનાં વચનને અમરસુધા લેખતી સીતા સમજી ન શકી કે પિતાના આત્મસખા રામ આ સંભાષણ શા માટે કરી રહ્યા છે ! અરે, હિજરાયેલી પત્નીના કુશલવર્તમાન પૂછવાને બદલે આ આત્મપ્રશસ્તિ કાં રચી રહ્યા છે ?