SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ કંચન ને કામિની સત્યને ઉપાસક વિભીષણ અન્યાયને પક્ષ તજી ચાલી નીકળ્યો! અરે, ગયો તે ભલે ગયો, સાગરમાંથી એક બિંદુ બહાર ચાલ્યું જાય તેથી એમ નમતું આપીએ તે રાજમાં કાજ કેમ ચાલે ! ટૂંક સમયમાં યુદ્ધનાં દુંદુભિ ગાજ્યાં. રાક્ષસરાજ રાવણના અજેય મનાતા દ્ધા હણાતા ચાલ્યા. રાવણ આ સ્ત્રીના તેજનો એ પ્રભાવ માની શંકિત બને. બળવાન હમેશાં બહુ વહેમી હોય છે. એણે બલાત્કારનો પ્રયાસ છાંડી મનામણાં શરૂ કર્યા. રામ ને લક્ષ્મણનાં ખોટાં શબ લાવીને પણ એણે સીતાની હતંત્રી ખળભળાવી મૂકી, પણ સીતાએ તે એક જ વાત કરી: આ દેહ રામને અર્પણ થયા. હવે ખોળિયામાં આવે છે ત્યાં સુધી બીજાને અર્પણ નહિ થાય !” રાવણ થાક્યો. બીજી તરફ યુદ્ધ ઉગ્ર બન્યું. ભાઈ, પુત્ર વગેરે રણમાં રેળાયા. પિતે રણાંગણમાં આવ્યો, પણ બગડેલી બાજી એનાથી પણ ન સુધરી. રાવણ પણ રણમાં પડયો. રામે લંકાને કબજે કર્યો ! ભલા, આ વેળા નિર્વાસિતા સીતાનો આનંદ એના સાગરસમાં હૈયામાં પણ કેમ સમાય ? પતિને મળવા એ મલીન વેશમાં જ ને કશાય અંગરાગ વગર જ આગળ વધી! પણ પતિદેવ રામનું કહેણ આવ્યું, “સ્નાન કરી શુદ્ધ થઈ અંગરાગ કરીને આ !” રે! નારીનું હૃદય ! એની અધીરતા કેણું ક્યારે સમજું છે, કે આજે સમજે? [૪] મહા-દૂત હનુમાને યથાસમય શ્રીરામને નિવેદન કર્યું કે "સીતાજી આવી રહ્યાં છે !'
SR No.005970
Book TitleKanchan ane Kamini
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherGurjar Granth Ratna Karyalay
Publication Year1957
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy