________________
રામાયણની નિર્વાસિતા
૧૧૯ દેખીને માનુનીનું મન ચળી જશે! આ રાજમહેલે, આ વિલાસગૃહ, આ વિહારસ્થલે, આ આભૂષણો, આ આસવો, પે ને ખાધો પાસે કઈ સ્ત્રી પુરુષની ચરણકિંકરી નથી બની ? કંચનના લેભે કઈ કામિની લેભાણું નથી ? આપ આપ એ વશ થઈ જાય છે.
પણ ધીરે ધીરે રાજા રાવણને ખાતરી થઈ કે આ સ્ત્રી દેહથી ભલે સુકુમાર હેય, પણ મનથી વજ જેવી છે. એણે માન્યું કે હમેશાં તાજા ઘા રૂઝવવા માટે સમયની જરૂર છે. સમય સમયનું કામ કરી જાય છે. એને પ્રતિકૂલ વર્તીને નહિ, અનુકૂલ રહીને જતું.
વિલાસની સામગ્રી ચારે તરફ ખડકીને વચ્ચે સુંદર સીતાને બંદીવાન બનાવી. સ્ત્રીને આકર્ષવાનું સંપૂર્ણ શાસ્ત્ર અહીં સક્રિય બન્યું, પણ સીતા તે અજબ સ્ત્રી નીકળી. કેટલીક વાર તો એની તેજસ્વિતા પાસે ત્રિલોકવિજી રાવણને પણ નમી જવું પડતું. રામ પછી સીતાએ પિતાના સંસ્કારની અહીં પરીક્ષા આપી. , ત્યાં તે અચાનક રામને દૂત લંકામાં આવી ગયો ને સીતાની ભાળ મેળવી ગયો. થોડા દિવસ વીત્યા ન વીત્યા ત્યાં રામને સાંધિવિગ્રહિક અંગદ પણ સુલેહની વિષ્ટિ ચલાવી ગયો. પત્નીહરણનું દુઃખ સમજનાર રાજા સુગ્રીવ અને તેને પરાક્રમી મંત્રી હનુમાન રામની વહારે ધાયા હતા.
પણ રાવણ તો પિલાદી હૈયાનો આદમી હતો. એની સભાએ, એનાં સગાએ કહ્યું કે રામને સજા કરવા માટે સીતાના અપહરણની જરૂર નહોતી. છતાં ય કહેનારા માત્ર કહેનારા જ હતા, ને કહીને પિતાના માણસની ભૂલ ચલાવી લેનારા હતા.
એક જણ જ એ અન્યાયને વિરોધી નીકળ્યો. એનું નામ વિભીષણ!
એણે કહ્યું, “આ તો એક ગુનાને મિટાવવા તમે બીજે ગુને કર્યો.” પણ મદાંધ ને બળવાન લેકે કદી સમજ્યા છે કે આજે સમજે ?