________________
રામાયણની નિર્વાસિતા
૧૧૭ કે ઉપહાસ થશે ? અરે, માણસ તે છેવટે તો માણસ છે. એમાં સંસ્કાર આવ્યા એટલે શું દેવ થઈ ગયો ?
પણ મશ્કરી કરનાર થંભી ગયા. બીજે જ દિવસે રામ સહુની વિદાય લઈ વકલનાં વસ્ત્રોમાં દેશનિકાલ માટે તૈયાર થયા. ન બનવાનું પૃથ્વી પર બનતું હતું. પરમ આશ્ચર્યની સીમા તે ત્યાં હતી કે ભાઈ લક્ષ્મણ પણ સાથે જતો હતો, ને સૌંદર્યભરી સીતા પણ વલ્કલના વેશમાં પતિના પગલે ચાલવા તૈયાર થઈ હતી.
સીતા કહેતી હતી : “જ્યાં પતિ ત્યાં સતી !”
લેકે માનતા હતા કે આ તે નાટક છે ! કાલે રામ પાછા આવ્યા સમજો ! પણ દિવસો વીત્યા, રામ પાછા ન આવ્યા, તે ન જ આવ્યા.
વચનના સાદા અર્થનું નહિ, એના ગર્ભિતાર્થનું પણ રામ પાલન કરવા લાગ્યા. કેટલાય એમને પિતાના ગ્રામનગરમાં વસવા વિનંતી કરતા, પણ વનવાસી રામ તે અગોચર જંગલોમાં જઈ વસ્યા.
લક્ષ્મણ અને સીતા સાથે છે, બધા યજ્ઞયાગ કરે છે, ને યજ્ઞવિરેાધી લેકને હરાવે છે. રાક્ષસકુળાનો અને યજ્ઞવિધીઓનો નાશ કરનાર ગુરુ અગત્યના આશીર્વાદ પામ્યા, વિદ્યા પામ્યા ને શસ્ત્ર પણ એમની પાસેથી પામી રામ આજે દંડકારણ્યમાં આવી વસ્યા.
આવાં રૂપાળાં, નાજુક ને ઘાટીલાં નરનાર ભાગ્યે જ આ પ્રદેશમાં આવે છે ! એકબીજા પ્રત્યેનો સ્નેહ, પાડોશી પ્રત્યેનો નેહ ને જીવન જીવવાની એમની કળા અનોખી છે !
[ ૩ ] રાક્ષસરાજ રાવણે બધો વૃત્તાંત સાંભળે, ત્યારે એને પિતાનું અપહરણનું કાર્ય અનેક રીતે યોગ્ય ભાસ્યું. એક તે એક કાળે એ પિતાની ઇતિ સુંદરી હતી. વળી યજ્ઞપૂજકોની એ કન્યા હતીઃ ને