________________
ઉન્નત આશય અને આદર્શો જોઈએ તે આપણે આરાના હવાઈ મિનારા રચતા થઈ જઈએ.
કંચનનો સવાલ તે નૂતન સામાજિક રચનાથી થઈ શકે, અને કામિનીને સવાલ તે આર્થિક રીતે અને સામાજિક રીતે સ્વતંત્ર એક બને . કોઈ લે, મા તે રહ્યા છે, અને આ આશાઓને પોષવા સામાજિક, રાજકીય અને કેળવણી વિષયક પ્રયત્ન થઈ રહ્યા છે. પરંતુ સમાજનું ઘેરણ જ્યાં જાય ત્યાં અને ક્યારેય પણ, રાજ નેબુવદનેઝર જેવું રહેવાનું છે. આ નિરાશાનો ધ્વનિ છે. આશાના ધ્વનિ જેટલું જ નિરાશા ધ્વનિ સાચે છે, અને આ બંને વ્યાવહારિક સત્ય સ્થિર રહેવા મથતા સમાજને ગતિમય રાખે છે, પરંતુ સમાજની એ ચંચળ સ્થિરતા માનવીના આતરમનનો કેટલે પલટ કરે છે એ સવાલ તે ઊભો જ રહે છે.
નોંધેલી બાબતનું આલેખન શ્રી. જ્યભિષ્મની વાર્તા ઓમાં ઠેર ઠેર પડેલું છે. માણસના ચિત્તને કલાકૃતિ હલાવી શકે તેટલું તે કદાચ ઉપર કરેલો વિશ્લેષણ-પ્રસ્તાર ન હલાવી શકે. એટલે જ આ સુંદર વાર્તાઓ ઉપર મારા પુરોવચનનું મેઢિયું ચઢાવવા માટે મારું મન ન હતું, પણ તેમની સોનાની લાકડી ઉપર ચાંદીનું મોઢિયું ચઢાવવા માટે શ્રી. જયભિખુએ આગ્રહ કર્યો તેથી મિત્રભાવે મેં તે ચઢાવી દીધું અને એમણે એક મિત્રે આપેલા સંભારણા તરીકે તેને અગ્રસ્થાન આપ્યું એટલું જ. બાકી આ લાંબા પરથારાને, વાર્તા વાંચવાના વાચકના આનંદની વચ્ચે આડા પડવાની કોઈ પણ જરૂર હોઈ શકે નહિ.
શ્રી. જયભિખ્ખએ આ સંગ્રહ પહેલાં “પારકા ઘરની લક્ષ્મી,” બેઠે બળવો” એ વાર્તાસંગ્રહે પ્રસિદ્ધ કરેલા છે. તેમાં પણ