________________
જોયું હોય અને પુરુષ સ્ત્રીમાં સાચું ઢણ જોયું હોય તથા એ પૌરુષેય અને ત્રણના સાચા, સ્વતંત્ર છતાંય બેમાંથી એક બનેલા સજનમાં સાચું લગ્ન રહેલું છે. પેસે, કુટુંબ વગેરે અન્ય વ્યાવહારિક હેતુઓ એ પ્રધાન હેતુ સમક્ષ ગાણ બની જાય છે એ લગ્ન કહેવાય. અન્ય. હેતુઓથી સંધાયેલા લગ્નમાં હમેશાં સાચી એકતા અને ખરે આનંદ જણાતાં નથી. તે તે આપણા સમાજની માન્યતા પ્રમાણે ટકે છે તે જીવનપર્યત, પરંતુ તે માત્ર દબાણથી જાતીય વૃત્તિ પિષવા માટેનાં અને ઘર ચલાવવા અને છોકરાંઓ ઉછેરવા માટેનાં જ લગ્ન બને છે. આથી એકંદરે બાળકોના ખમીરને હાનિ જ આવે છે. એ તે આપણા સમાજની અત્યારની સ્થિતિ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ.
| દિલ એક હોય અને શરીર-સંબંધ એ કુદરતી બની જાય એ એક વાત છે અને શારીરસંબંધ થઈ જાય કારણ કે તે એક ભૂખ છે તથા તેનું સાધન સમાજે ગોઠવી આપ્યું છે તે બીજી વાત છે. આપણા સમાજમાં બીજી વાત વધારે પ્રમાણમાં દીઠમાં આવે છે. એટલે આપણું બાળકનું માનસિક અને શારીરિક કૌવત ઘવાતું જાય છે. પ્રેમથી કામ પિવાય તે કામ તે કામ રહેતું નથી; પણ જ્યાં માત્ર કામ પિષવાની વૃત્તિ છે ત્યાં પ્રેમ હણાઈ જાય છે. પ્રેમ એ તો ઊંચા પ્રકારનું સમસંવેદન છે; અને જ્યાં પ્રેમનું સ્થાન છે ત્યાં નિરંતર આનંદ વસે છે, ઉચ્ચાભિલાષ વસે છે; નીતિ, મતિ અને ભૂતિ વસે છે.
બાઈબલમાં નેબુવદનેઝર નામે રાજ વિષે વાત આવે છે. એના પગ માટીના હતા. સમાજની રચના પણ એવી છે. એના પગ પણ માટીના છે. એ માટીના પગ ઉપર જોઈએ તે તેની સુધારણા માટે આપણે માત્ર નિરાશા અને અંધકાર જ જોઈ શકીએ અને તેના