________________
રામાયણની નિવસિતા
૧૧૩ જીતી જાય. “સત્યમેવ તેના બદલે “વમેવ બને અહીં અબાધિત શાસનધારો હતો.
સામાન્ય જનસમુદાયની વાત તો ઠીક, પણ રાક્ષસરાજ લંકેશ્વર રાવણની બહેન શૂર્પણખા જ આ રૂપાળા પુરુષની દેહલાલસામાં પડી. શુર્પણખા જેવી રાક્ષસસુંદરીને વરવાની ઈચ્છા ન હોય તો પણ કેણ એને ના પાડે ?
પણ આ રૂપાળા વિચિત્ર પુરુષે હિંમતથી કહ્યું: “મારી સ્ત્રી સિવાય બીજી સ્ત્રીને હું સ્પર્શતે પણ નથી !'
વાહ રે વાહ સ્પર્ધોસ્પશ્યન માનનારા ! અરે ! આ ચોખલિ આવ્યો ક્યાંથી! મનગમતાં મળ્યાં તે રમ્યાં, જમ્યાં ને જુદાં પડ્યાં: એમાં વળી નિયમ ને બંધનની આ જાળ શી!
પણ બીજી પળે એ રાક્ષસસુંદરીને આત્મનિરીક્ષણ કરતાં તરત સમજાઈ ગયું કે જેના પડખામાં પેલી મધપૂડા જેવી મીઠી સ્ત્રી બેઠી હેય-એ મને કેમ સ્વીકારે ?
એણે પેલી રૂપકડી ટચૂકડી સ્ત્રીને હાંકી કાઢવા પ્રયત્ન કર્યો, ને તેમાં સ્વયં રાક્ષસપુત્રી શુર્પણખાને ઘાયલ થઈને નાસી છૂટવું પડ્યું!
છંછેડાયેલી નાગણના તાળવામાં વિશ્વનો ફૂંકાર હોય છે. છંછેડાયેલી સ્ત્રીના અંગ-પ્રત્યંગમાં કાળી નાગણનું કાતીલ વિષ ઊછળતું હોય છે. શૂર્પણખાએ લંકાધીશ રાજરાજેન્દ્ર રાવણને કહ્યું:
“ભાઈતારે યોગ્ય સ્ત્રી દંડકારણ્યમાં આવી છે. બિચારી કોઈ ભિખારીને પનારે પડી છે. વિચિત્ર છે. એમના નિયમ ને ઉપનિયમ ! એ સૌંદર્યભરિતા અનાથ સ્ત્રીને તું સનાથ કર !'
શંગારરસને વીરરસનો અધિરાજ, શૌર્ય અને સૌંદર્ય આ બેમાં જ જીવનની અભિવ્યક્તિ નિહાળનાર રાક્ષસરાજ દશાનન રાવણું એ સુંદરીને મેળવવા સજ્જ થયે. અરે, કઈ રૂપસુંદરી આ સામર્થ, આ વૈભવ, આ સાહ્યબીને વરવા ના પાડશે ?