________________
છેલું વીલ
૧૦૯ બહુ મૂળા ખાતે હતેએવા મૂળાખાનું સન્માન કરીએ તો આપણું. વામયની કિંમત શી ?” - શોરબકોર સમાવવા પ્રમુખ મહાશયે ઘંટડી વગાડીને કહ્યું : વસ્તુને હું પણ વિવાદાસ્પદ માનું છું.'
આ વખતે એક ખૂણામાંથી વિરેધને ગણગણાટ થયો, પણ એ પક્ષ નાને હતે. અવાજ તરત દબાઈ ગયે. અહીં “રિલેશનસંબંધે "નું પારાયણ ચાલ્યું. એના આ મોભાદાર મવડીઓ સાથે સારા રિલેશન નહોતા.
પ્રમુખ મહાશયે આગળ વધતાં કહ્યું : “જુઓ, એ લેખકનાં સર્જનેમાંથી કયાં એનાં ને કયાં એનાં નહિ, ક્યાં પ્રમાણિક ને
ક્યાં અપ્રમાણિક, ક્યાં સાહિત્યિક મૂલ્યવત્તાવાળાં ને કયાં નહિ, ક્યાં યુગની સાથે જીવી શકે તેવાં ને ક્યાં અકાળે આપઘાત કરે તેવાં, વગેરેને નિર્ણય કરવા આપણું મશહૂર ત્રણ વિવેચકેની એક સમિતિ નીમું છું. તેઓ યોગ્ય સમય સુધી તેના પર વિચાર-વિનિમય કરી આ કમિટી આગળ પિતાને નિખાલસ ને વિદ્વત્તાભર્યો અભિપ્રાય પ્રગટ કરે. તે પછી જે યોગ્ય હશે તે થશે. આ સભાને બરખાસ્ત જાહેર કરું છું.'
એ મહાન વિવેચક મહારથીઓ પિતાના પર આવેલી કપરી ફરજ બજાવવા કૃતનિશ્ચય બન્યા, ત્યારે મારા આનંદને પાર ન રહ્યો. ભલા, દૂધમાંથી પિરા શોધનાર તમારા હાથે કાલિદાસ, શેક્સપિયર, પ્રેમાનંદ કે શામળ–કેઈની કૃતિ ગરબામાં પડ્યા વગર બચી નથી, તે મારે માટે બચવાની આશા શી ? દેહ છોડવો તે દેહાભિમાનવાળી વસ્તુઓ પણ શા માટે ન છોડવી ?
રમતિયાળ હું–મારા ઘરના આંગણામાં આવ્યો. ત્યાં એકત્ર થયેલા લેકમાં ભારે મૂંઝવણ ભગી હતી.