________________
૧૧૦
કંચન ને કામિની કેટલાક મરનારના સ્વભાવ વિષે ટીકા કરતા હતા. અરે, આવું તે વીલ કરાય ! પાસે પૈસા કે માલમિલકત હોય તે તે આપવાલેવાની વાત કરવી એ ઠીક. બાકી વીલમાં આવું તે લખાતું હશે!
ન રડવાના રાગ, ન ફૂટવાની કરામત !
–અને ખાવાપીવાની વાત જ નહિ! જીવતાં ય ખાધું નહિમરતાં ખાવા દીધું નહિ! એ વિના આવા ઊજળા મતની ઉત્તરક્રિયાને રંગ જામે પણ કેમ ?
સ્ત્રીઓ મૂંઝાતી હતી-કાળા સાડલા વગર શોક-પ્રદર્શન કેમ થાય? રડવું શી રીતે ?
ચૂડાકર્મ વગર–લાડકા રંડાપાની લેજના વગર-મરનારનું મોત કેમ શોભે! એની મૃત્યુની સિદ્ધિ કેમ હાંસલ થાય !
ભારે મૂંઝવણ ! ભારે મુંઝવણ! હું તે હસી હસીને બેવડ વળી ગયો.
જિંદગીમાં ઘણું લખ્યું–લખાવ્યું હતું, પણ આ વીલ જેવું તે નહિ જ! ભલેને, મારું લખેલું તમામ સાહિત્ય કચરાપેટીને
ગ્ય ઠરે, આ એક વીલ જીવતું રહે તેય ઘણું છે. જુવાને એનું અનુકરણ કરી પિતાને માટે ઘડીને તૈયાર રાખે તેય મારું લખ્યું-જીવ્યું સાર્થક ! . ને કૂદીને મારા મમત્વના કારણભૂત દેહને ખાખ થતું જેવા સપ્તર્ષિને આરે આવ્યો. સ્મશાનમાં સેપે પડી ગયો હતે. નદીનાં આછાં નીર મંદમંદ વહેતાં હતાં, ને ત્યાં વસતાં કૂતરાં પણ માણસનાં હાડકાંને બદલે-એમણે મૂકેલા ધૂળમિશ્રિત લાડવા આસ્વાદતાં થયાં હતાં ! યુગે યુગે આદત પણ બદલાય છે !
ફરીથી વાયુની લહરી પર ચઢીને હું ચાલી નીકળ્યો. કેવો હલકે! કે હળવો! જાણે શરદની એક ચંચળ ફૂલવાદળી !