________________
૧૦૮
કંચન ને કામિની
એક ઠેકાણે જોયું તે એક પ્રકાશક મારા પુસ્તકના હકક મારા કુટુંબને સુપ્રત કરી રહ્યા હતા. અરે, વિશ્વ માત્ર આ દેહનું હતું. એ નથી તે આ પ્રકાશક મારા તરફ કેવી સહાનુભૂતિ દાખવે છે? જીવન કરતાં તે મૃત્યુમાં બહેતરી લાગે છે !
હર્ષની એક કકિયારી કરી આગળ વધ્યું. વાયુની સાથે સરસાઈ કરનારે મારે વેગ હતું. આગળ ગયે, જોયું તે એક ઠેકાણે ગંભીર મુખમુદ્રા ધારણ કરીને કઈ મંડળી બેઠી હતી. ત્રણ કલાકથી એક ભારે મુદ્દા પાછળ મગજનું દહીં થઈ રહ્યું હતું
કલાને ખાતર કલા કે ધ્યેયને ખાતર કલા ? આદર્શવાદી સાહિત્ય સાચું કે વાસ્તવવાદી સાચું?
માણસના ઊજળા મન નીચે વસતી કાળાશ કાઢીને બતાવવી એ સાહિત્યનું ધ્યેય કે કાળા માનવીના હૈયામાં વસતા ઊજળા રંગે પકડવા તે !
ઊંટનું મેં મારવાડ ભણી હોય એમ આ બધાનાં મેં સાત સાગર પારના દેશો તરફ હતાં. એકાએક ઝઘડો થઈ ગયો. સહુનાં મેંમાંથી વાઘરીવાડમાં અનુભવાતી સરસ્વતીને એક નવો પ્રવાહ વહી નીકળ્યો.
આખરે તેવીસ વર્ષથી ચાલતી આ ચર્ચા આગામી ત્રણ વર્ષ માટે મુલતવી રહી.
એક સભ્ય અચાનક ઊભા થઈ કહ્યું: “તાજેતરમાં ગુજરી ગયેલા લેખકને માટે કંઈ થવું જોઈએ.”
બીજા-ત્રીજાએ એને ટકે આપો.
એકે વિરોધ કર્યો. “એ છીંકણી નહોતો સૂધ તે લેખક કેમ કહી શકામ?”
બીજાએ ટેકે આપે. “હા સાહેબ, વસ્તુ વિવાદગ્રસ્ત છે. એ