________________
કંચન ને કામિની
મારા મર્યા પછી. કેઈ કાળો સાડલો ન પહેરે, એ પૈશાચિક પિશાકથી મને નફરત છે !” મેં જરા બળથી કહ્યું.
વાર, પછી–” માતાના પેટ જે અંધારે ખૂણે નહિ !'
“તમે મૃત પતિની પાછળ પત્નીએ પાળવા જોઈતા રંડાપાના ખૂણાની વાત કરે છે ?” વકીલે સ્પષ્ટ કર્યું.
જી, હા ! કંકણુના ભુક્કા નહિ, કંકુને ઉચ્છેદ નહિ.' તમે મરણને લગ્ન સમાન લેખો છો?”
“ના છે. લગ્ન સમારંભ છે. મરણ પવિત્ર યજ્ઞ છે. હિન્દુ સંસારનો પુરુષ જીવતાં તે સ્ત્રીને કેદીની જેમ રાખે છે, પણ મર્યા પછી તે સ્ત્રીને માટે એ નરક સજે છે. પુરુષનું મૃત્યુ સ્ત્રીને ડગલે ને પગલે શાપરૂપ બને છે. કૃતન પુરુષ આ પાપમાંથી કયે ભવે છૂટશે? જેણે મારી આજીવન એકભાવે સેવા કરી, એને મૃત્યુ પછી આવું ભારે અપમાન કદી નહિ આપું. માટે કહું છું, કાળો કે રાતે ઘેરે સાડલે નહિ, કંકણના ભુક્કા નહિ, ખૂણે કે ખાંચરે નહિ.”
“શાન્તિ રાખે, ભાઈ સુમનલાલ,” એક વૃદ્ધ જ્ઞાતિજન વચ્ચે બેલી ઊઠયા. એમને આ વાત ન સચી, બાપદાદાના વારાથી ચાલ્યા આવતા રિવાજને કંઈ ઉવેખી શકાય!
શાન્તિ તરફ તે જઈ રહ્યો છું, પણ પાછળ મારા નિમિત્તે અશાન ન થાય, તે માટે બંદેબસ્ત કરવા માગું છું. જુઓ કાણ કે કૂટણ નહિઃ કારજ કે જમણુ નહિ.” મારા અવાજમાં ન જાણે અજાણ્યું બળ આવ્યું હતું.
“એ તે જેમ થતું હશે તેમ થશે.” જ્ઞાતિજને ટૂંકામાં કહ્યું. જેમ સારું લાગશે તેમ થશે.”
“કેને સારું લાગે તેમ થશે? મરનારને કે મરનારની પત્નીને કે તમને સહુને ? વધુ બેલી શકાય તેમ લાગતું નથી, પણ એટલું કહું