________________
છેલ્લું વીલ
૯૫
જેવી શાતિ થોડીવાર પથરાઈ રહી. હું મૃત્યુના અગોચર સાગરમાં ડૂબત ચાલે. અનંત વિગ્રહો, અસીમ વેદનાઓ ને દુઃખદ પીછેહઠો જાણે સરી ગઈ ને કોઈ અજાણી શાન્તિ-સુંદરી મને બાહુપાશમાં વિટી રહી.
મૃત્યુને અગચર સાગર દેખાયું. ત્યાં પહાડ જેવડા મગરમચ્છની દંતાવલિ દેખાતી હતી, પણ લેણદારની દંતપંક્તિ કરતાં એ સુંદર લાગી. ચરબી ભરેલા જળહાથીની કાયા ત્યાં જુગુપ્સા ઉપજાવતી હતી, પણ શ્રીમંત શેઠજીની ફાંદ કરતાં સૌમ્ય ભાસી; ને શાર્ક માછલીના તીણ ભાલા જેવાં શીંગડાં ત્યાં ભેંકાવા તૈયાર હતાં, પણ બેવફા સ્વજને અને બેપરવા વિવેચકે કરતાં ઓછાં કાતિલ ભાસ્યાં.
નવમળ છે, ન વડવાનલ છે. ન સપાટીને સદા ભેદતી તરંગાવલિ છે. અગોચર ઘેર સુંદર વાતાવરણ છે. ઘોર અંધકારના તળિયે સુંદર મેતી ચમકતાં હતાં. હું તે તરફ ધસ્યો. પણ કોઈએ ધક્કો મારી મને પાછો ઉપર ધકેલ્યો.
&ણ આંખે ફરીથી ઊઘડી. કોઈ મૃદુ હાથ મારા લલાટ પર ફરતો હતે. ધીરેધીરે સ્મૃતિ આવતાં જોયું કે સહુ બેઠાં હતાં તેમને તેમ બેઠાં હતાં. મારે એક હાથ દાક્તરના હાથમાં હતો, મારે બીજે પડખે એક વકીલ મિત્ર બેઠા હતા. થોડીવારે એમણે મિષ્ટ અવાજે મને આશ્વાસન આપવા કહ્યું
“જુઓ, છેલ્લા ઇજેકશન પછી ઘણે સુધારે છે. કોઈ વાતથી ડરશો નહીં.'
કઈ વાતથી ડરતા નથી.”
જુઓ. કાલે સાજા થશો ને સો વર્ષ જીવશો; પણ અગમચેતી સારી. વીલ કરી લીધું હોય તે ઠીક.”
ઠીક,” મેં ઉત્તર વાળ્ય.