________________
૯૪
કંચન ને કામિની
-શોભતા નાયકને અને મસ્ત પયાધરવાળી ફૂલગુલાખી નાયિકાઓને શોધી લાવ્યેા હતેા.
પણ અહીં એક વાતને પ્રશ્ન કદાચ કાઈ કરી બેસશે : શું મને સાહિત્યજગતે લેખક તરીકે સ્વીકાર્યાં હતા ? મારી કાઈ કૃતિ પર સરકારી પુરસ્કાર મળ્યા હતા ? કાઇ કૃતિ વિવેચન-વિવરણમાં અગ્રસ્થાન પામી હતી ? કાઈનું આંતરરાષ્ટ્રીય ભાષામાં ભાષાંતર થયું હતું ? અસ્તિત્વના આ મહાવિવાદમાં મારે ના જ કહેવી રહી અને અસ્તિત્વમાં અસ્તિત્વ ગણાતા ક્રિકેટસંધના બારમા ખેલાડી જેટલું હતું.
· ઈશ્વર છે કે નથી?’ એવા સનાતન વિવાદની જેમ એને પણ નિ ય થવા શકય નથી. પણ હા, સાહિત્યજગતના કેટલાક મહારથીએ કહેતા કે તમે લેખક છેઃ તે પ્રકાશકા સદા ખીજા પુસ્તકની માગણી કર્યો કરતા એટલે સત્ય કે ભ્રમ; પણ હું મારી જાતને લેખક માનતા.
હું લેખક કેમ બન્યા, એ વિષે કેાઈ એ પૂછપરછ નથી કરી. પણ જો આ મેાતની ગાળીમાંથી નીકળ્યા તે જીવ્યા તેા વળી એનેય ખુલાસા કરીશું, મરતા માણસે તે બધી પેટછૂટી વાત કરવી જોઈ એ.
સંધ્યા આથમી તે જાણે મૃત્યુનેા ઘેર અંધકાર મને વીટળાવા લાગ્યા. લીલી લીમડાની ડાળો પણ હવે કાળીમેશ બની હતી તે ખારી પર રમતી છેલ્લી પ્રકાશરેખા પણ દર્દભરી વિદાય યાચતી હતી. જાણે ફરી એ પ્રકાશ ને આ પ્રાણનું અહીં મિલન અસંભવ હતું.
અચાનક મારા કમજોર ખાવડામાં કંઈક તીક્ષ્ણ શસ્ત્ર ભોંકાયું. દાક્તરની પીચકારીને! એ સાયા હતા, કે મૃત્યુ પછી સજા કરવા આવનાર અસુર પરમાધામીને ધગધગતા લેઢાનેા સંળિયા હતા, એને કંઇ નિણૅય ન કરી શકાયા. અસ્તિત્વના અંધકારમાં હું ઊંડા ને ઊંડા ઊતરતા ચાલ્યા.
કાઈ મોટી પાકના અશ્રાવ્ય નાદ ગુંજી રહ્યો. રંગભૂમિના પ્રેક્ષકાની વિદાય વેળાએ થતા ધાંધાટ ને વિદાય પછી પ્રસરતી મૃતશાન્તિ