________________
સાંકળી ફઈબા
પિતાજી, સસરાની આ વાતે હું સાંખી ન શકી. વહુ થઈ એટલે એમને શું મારાં માબાપને ભાંડવાને અખત્યાર મળી ગયો ? જેવાં એમનાં માબાપ, એવાં સહુનાં. એ દહાડે ઘરમાં મહાભારત જાગ્યું. એ ઓલવવા મેં મારું નામ તેવું ને ઘી-દૂધની બાધા કરી. ન જાણે એ બાધા આ ભવે છૂટશે કે પરભવે” સાંકળીબાએ વાત પૂરી કરી.
અમારાં દાદીમા છણકી ઊઠ્યાં સાંકળી, આપણે ઘેર આપણે ધરમ! એને ઘેર એનો ધરમ. તું તારે દેરે અપાસરે જજે. જેઉં, એ બધાં શું કરે છે ?'
“શેઠાણી, ઠંડાં થાઓ !” દાદા વચ્ચે બેલ્યા. ને પછી સાંકળી ફઈબા તરફ જોઈને કહ્યું: “સાંકળી, બેટી, તેં ભૂલ કરી. જે ઘરમાં જઈએ, એ ઘરનાં નિયમ-વ્રત પાળીએ. તારી ડોશીને હું ઘણું સમજાવતો, પણ મારાથી કરમના લેખમાં મેખ ન મરાણી. ન જાણે તારા જેવી કેટલીય દીકરીઓ એક અવતાર પૂરો થાય ત્યાં સુધી અમને શરાયા (શાપ આપ્યા) કરશે. અમે ધરમના થાંભલાઓએ એમને માબાપના વિજેગ કરાવ્યા. એ થાકેલી–હારેલી મૃગલીઓને પિયરનાં ઝાડવાં દેખવાં દૂર કર્યા.”
પણ બાપુજી, મારા નીમનું શું?”
નીમ આંખ માથા પર. તારું નીમ હું રાખીશ, તારે તે ઘરનો આચાર રાખવાનો. હવેથી તારે ઘી-દૂધ ખાવાનાં. સ્ત્રીની જાતને તે બમણે ધસારે. ઘી-દૂધ વગર ન ચાલે. બાકી દીકરી, જે તું મને પૂછતી હોય તે કહું. ઝાઝાં શાસતર જોયાં નથી, પણ ટૂંકી વાત જાણું છું, જે મન ચંગા તે કથરોટમાં ગંગા. શું તારે બાપ તને, એ જીવત હશે—નજર સામે હશે ત્યાં સુધી તારે પૂજ્ય રહેશે ? ને ત્યાં સુધી જ તને યાદ આવશે ? પછી તને યાદ પણ નહિ આવે ? બધાં મનનાં કારણ છે ! દહેરાને માનનાર શું દેવને માનવાની